ગુજરાતના દરીયા કિનારા પર વારે તહેવારે પા.ક નેવી માછીમારોને ઝડપી લેતા હોય છે. જ્યારે 2017માં ઝડપાયેલા નવસારીના માછીમાર મુક્ત થતા વતન પાછા ફર્યા છે.
પાકિસ્તાનનું નામ સાંભળતાની સાથેજ દુશ્મનીના રુંવાટાઓ ઉભા થઇ જાય છે, એવા પાકિસ્તાની નેવીના કમાન્ડો ભારતીય માછીમારો માછીમારી કરવા જતા ઝડપી લેતા હોય છે. ઝડપીને ઇંક્વારી કરે એ તો ઠીક છે, પરંતુ પાકિસ્તાન લઇ જઈને વર્ષો સુધી જેલમાં સબડાવીને વતનથી દૂર રાખવાની સજા ફટકારી દે છે. ૧૭ મહિનાથી પરિવારથી દૂર રહેલા નવસારી જિલ્લાના એક માછીમારને પાકિસ્તાને મુક્ત કરતા માદરે વતન આવી પહોચતાં ખુશીનો માહોલ છવાયો હતો.
તારીખ 13/11/2017 ના રોજ પાકિસ્તાનની બોર્ડર ક્રોશ કરીને માછીમારી કરવા ગયેલી ૩ બોટ અને ૨૩ જેટલા માછીમારોને પાકિસ્તાની નેવી ઉઠાવી ગઈ હતી. જેમાંથી એક માછીમાર નવસારી જિલ્લાના મેંધર ગામના વતની અને બીલીમોરા શહેરમાં સ્થાયી થયેલા હસમુખ મનુ ટંડેલ નામના માછીમાર મુક્ત થતા પરિવાર તેમજ સોસાયટીમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. ૧૭ મહિના બાદ પરિવારનું મિલન થતા મુક્ત થયેલા માછીમારનું આરતી ઉતારી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.