દેશભરમાં આધાર કાર્ડની સંખ્યા 125 કરોડની પાર પહોંચી ગઇ છે. આધાર કાર્ડને જાહેર કરનારી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું છે કે 10 વર્ષ ત્રણ મહીનામાં આ ટારગેટને હાંસલ કરવામાં આવ્યો છે.
12 અંકોની વિશિષ્ટ ઓળખ સંખ્યા
આધાર કાર્ડ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને જાહેર કરવામાં આવતું ઓળખ પત્ર છે. સૌથી પહેલા નંદન નિલેકણીને UIDAIના અધ્યક્ષ બનાવાયા હતા. તેમા 12 અંકોની એક વિશિષ્ટ સંખ્યા છપાયેલી હોય છે. આ સંખ્યા, ભારતમાં ક્યાંય પણ, વ્યક્તિની ઓળખ અને સરનામાનું પ્રમાણ હશે. ભારતીય ટપાલ દ્વારા પ્રાપ્ત અને યુઆઇડીએઆઇની વેબસાઇટથી ડાઉનલોડ કરવામાં આવેલ ઇ-આધાર બંને સમાન રૂપે માન્ય છે.
દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક આઇડી
આધારને દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક આઇડી સિસ્ટમ માનવામાં આવે છે. વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી પોલ રોમરે આધારને 'દુનિયામાં સૌથી પરિષ્કૃત આઇડી કાર્યક્રમ' ના રૂપે વર્ણિત કર્યું હતું. આધારનો ડાટાબેઝ યૂઆઇડીએઆઇના બે ડાટા સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ બંને સેન્ટરમાં કુલ સાત હજારથી વધારે સર્વર છે. આ ડાટાબેઝ સેન્ટર ઔદ્યોગિક મોડલ ટાઉનશિપ (IMT), માનેસર અને બેંગલુરુમાં સ્થિત છે.
Ministry of Electronics and Information Technology: Unique Identification Authority of India (UIDAI) announced a new milestone achieved by the Aadhaar project – crossing of the 125 crore mark. This means that over 1.25 billion residents of India have the 12-digit unique identity. pic.twitter.com/fC6yVOGkJJ
આધાર કાર્ડનો ઉપયોગ સૌ પ્રથમ બેન્ક ખાતુ ખોલવા અને મોબાઇલ સિમ લેવા માટે પણ ઇકેવાઇસીકે માટે પ્રયોગ કરવામાં આવતો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે આ ઇકેવાઇસી તરીકે તેમા પ્રયોગ કરી શકાશે નહીં. જોકે, અન્ય ઘણી સેવાઓમાં તેનો પ્રયોગ હજુ પણ કરવામાં આવે છે. આ સેવાઓ છે.
પાસપોર્ટ જાહેર કરવા માટે આધારને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે
જનધન ખાતા ખોલવા માટે
એલપીજીની સબસીડી મેળવવા માટે
ટ્રેન ટિકિટમાં છૂટ મેળવવા માટે
ડિજિટલ જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) માટે આધાર જરૂરી
વિના આધાર કાર્ડ નહીં મળે પ્રોવિડન્ડ ફન્ડ
ડિજીટલ લોકર માટે પણ આધાર જરૂરી છે
સંપત્તિના રજિસ્ટ્રેશન માટે પણ આધાર કાર્ડ જરૂરી બનાવી દેવાયું છે
વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ પણ આધાર કાર્ડ દ્વારા તેમના બેન્કમાં જમા કરવામાં આવશે
આયકર રિટર્ન
નવજાત બાળકોનું આધાર કાર્ડ બનાવવું અનિવાર્ય થઇ ગયું છે