દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં સતત મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તે આ ભયાનક ઘટનાના નવા-નવા રાઝ ખોલી રહ્યો છે. હવે પૂછપરછમાં ખુલાસો થયો છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનો ચહેરો સળગાવી દીધો હતો. પોલીસની પૂછપરછ બાદ આફતાબે કહ્યું કે, તેણે પોતાની ઓળખ છુપાવવા માટે આવું કર્યું છે. આફતાબે કહ્યું કે શ્રદ્ધાના શરીરના બાકીના ટુકડાઓનો નિકાલ કરતા પહેલા જ તેણે માથાનું સળગાવી દીધું હતું જેથી કરીને ઓળખ છતી ન થઈ જાય અને તેણે આ બધી બાબતોની જાણકારી ઈન્ટરનેટ પરથી લીધી હતી.
પાણીનું બીલ ઝીરો આવે છે છતાં આફતાબના ફ્લેટનું 300 રુપિયા આવ્યું શા માટે
પોલીસ તપાસમાં એવ પણ ખુલાસો થયો છે કે આફતાબના ફ્લેટનું પાણીનું બીલ 300 રુપિયા આવ્યું હતું પરંતુ હકીકતમાં દિલ્હીમાં સરકાર દ્વારા 20,000 લીટર પાણી ફ્રી આપવામાં આવે છે અને કોઈ પણ રહેવાશી આનાથી વધારે પાણીની જરુર ન પડે પરંતુ આફતાબે કયા કારણે આટલું બધું વાપરી નાખ્યું કે 20,000 લીટરથી ઉપર તેને 300 રુપિયાનું બીલ આવ્યું તેની પોલીસ તપાસ કરશે. પોલીસને આશંકા છે કે શ્રદ્ધાની લાશ ધોતી વખતે આફતાબે પુષ્કળ પ્રમાણમાં પાણી વાપર્યું હોવાને કારણે પાણીનું બીલ આવ્યું છે.
શું છે શ્રદ્ધા વોકર હત્યાકાંડ
મે 2022માં આફતાબ અમીન પૂનાવાલાએ તેની 26 વર્ષીય લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી અને તેઓ 2019થી સાથે રહેતા હતા. તેમના માતાપિતાએ વાંધા ઉઠાવ્યા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. 18 મેના રોજ ઉગ્ર ઝગડ બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ પછી, ટુકડાઓને 18 દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાના ગુમ થયાની પિતાની ફરિયાદ બાદ આ મામલો છ મહિનો બહાર આવ્યો હતો.
કેવી રીતે ભાંડ્યો ફૂટ્યો
પિતાએ શ્રદ્ધા ગુમ થઈ હોવાની ફરિયાદ લખાવી ત્યાર બાદ પોલીસે શકને આધારે તેના લીવ ઈન પાર્ટનર આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આફતાબે પોલીસને કહ્યું કે શ્રદ્ધા અહીઁથી મોબાઈલ અને સામાન લઈને નીકળી હતી. પોલીસને તેને વળતો સવાલ પૂછ્યો કે જો શ્રદ્ધા 22 મેના દિવસે ઘર છોડીને જતી રહી હોય તો તેનું લોકેશન હજુ સુધી મહરોલી કેમ દેખાડે છે બસ આ સવાલનો જવાબ હત્યારો આફતાબ આપી શક્યો નહોતો અને તેણે બનેલું બધું કહી સંભળાવ્યું હતું.
આફતાબે બાથરુમમાં લાશના 35 ટુકડા કર્યાં
પોલીસને શંકા છે કે આરોપી આફતાબે બાથરુમમાં શ્રદ્ધાની લાશના 10 ટુકડા કર્યાં હતા ત્યાર બાદ તે શાવરમાંથી પાણી વહેવાતો હતો હતો જેથી જલદી શરીર કપાઈ જાય અને લોહી વહી જાય અને આવું કરવામાં તેણે 20,000 લીટરથી પણ વધારે પાણીનો ઉપયોગ કર્યો હોવાની પણ પોલીસને શંકા છે.
હત્યારા આફતાબનો થશે નાર્કો ટેસ્ટ
દિલ્હીની સાકેત કોર્ટે પોલીસને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. હવે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં હત્યાના આરોપી આફતાબ પર નાર્કો ટેસ્ટ કરશે.
પોલીસને અત્યાર સુધી શ્રદ્ધાના શરીરના 10 હાડકાં મળ્યાં
આફતાબે દિલ્હીમાં પોતાની 'લિવ-ઈન પાર્ટનર' શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી, તેના 35 ટુકડા કરી લીધા હતા અને ધીમે ધીમે તેને જંગલમાં ફેંકી દીધા હતા. મળી આવેલા હાડકાં શરીરના પાછળના ભાગમાંથી છે. આ કેસમાં અત્યાર સુધી આવા 10 બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. તેના શરીરનો મોટો ભાગ છે, જે રીડના હાડકાની નીચે જણાવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાના શરીરના અંગોના નિકાલ પહેલા જ તેનું માથું સળગાવી દીધાની કબૂલાત હત્યારો કરી ચૂક્યો છે.