ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ રહી નથી. ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડભારત સરકારની પરવાનગી લીધા વિના પાકિસ્તાન સાથે મેચ રમવા માટે તૈયાર નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઇને આફ્રિદીનું નિવેદન
જ્યાં સુધી PM મોદી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી નહીં યોજાય રમત
ઉલ્લેખનીય છે કે, આ અંગે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પીએમ મોદી સામે વાંધાજનક નિવેદન આપ્યું છે. આફ્રિદી કહ્યું હતું કે,જ્યાં સુધી PM મોદી પ્રધાનમંત્રી પદે છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ નહીં શકે.
આફ્રિદીએ કર્યો દાવો
આફ્રિદીએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ભારત સાથે ક્રિકેટ શ્રેણી રમવાનો ક્યારેય ઇનકાર કર્યો નથી. આફ્રિદી કહે છે કે બંને દેશો વચ્ચે ક્રિકેટ ફરી શરૂ થવું જોઈએ. પરંતુ આફ્રિદીએ પણ કબૂલ્યું છે કે તણાવના વાતાવરણમાં તે શક્ય જણાતું નથી.
આફ્રિદીએ વાંધાજનક નિવેદન આપતાં કહ્યું કે....
આફ્રિદીએ વાંધાજનક નિવેદન આપતાં કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી માટે તૈયાર છે. પાકિસ્તાન ભારત સાથે ક્રિકેટના સંબંધોને સંપૂર્ણ રીતે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ PM મોદી જ્યાં સુધી સત્તા પર છે ત્યા સુધી બંને દેશો વચ્ચે શ્રેણી રમાશે નહીં.
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આર્થિક લાભ માટે લાંબા સમયથી બીસીસીઆઈને ક્રિકેટ શ્રેણી રમવા માટે અપીલ કરી રહ્યું છે. પીસીબીના અધ્યક્ષ એહસાન મનીએ બીસીસીઆઈને અનેક વખતે ટ્વેન્ટી સિરીઝ અથવા વનડે સિરીઝ રમવા અપીલ કરી છે. પરંતુ એહસાન મનીનું કહેવું છે કે ભારતનો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો કોઈ ઇરાદો નથી.