એક તરફ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ આસામમાં સ્વાઇન ફ્લૂએ દસ્તક દીધી છે. આસામ સરકારે રવિવારે જણાવ્યું કે, આફ્રીકી સ્વાઇન ફ્લૂના મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના સાત જિલ્લાના 306 ગામમાં આશરે 2500 જેટલા ભૂંડના મોત થયાં છે.
કોરોનાના કહેર વચ્ચે નવી બીમારીએ દીધી દસ્તક
આસામમાં 2500 ભૂંડના મોત
રાજ્યના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક અસરથી ભૂંડના મરવાના સ્થળોએ આ બીમારીને રોકવા માટેના બીજો રસ્તો અપનાવવામાં આવશે.
ભોપાલની પશુ સંસ્થાએ આ રોગની કરી પુષ્ટી
તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન, ભોપાલે આ અંગે પુષ્ટિ કરી હતી કે, આ આફ્રિકી સ્વાઇન ફ્લૂ છે. આ અંગે કેન્દ્ર સરકારને પણ જાણકારી આપવામાં આવી છે કે આ દેશમાં પ્રથમ ઘટના છે.
આસામમાં 30 લાખ ભૂંડની સંખ્યા
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગત સાલ 2019ની જનગણના પ્રમાણે આસામમાં 21 લાખ ભૂંડની સંખ્યા હતી. હાલ તે વધીને 30 લાખ થઇ ચૂકી છે. બોરાએ વધુમાં કહ્યું કે, અમે નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે કે શું ભૂંડને બચાવી શકાય ખરા? કારણ કે, બીમારીથી પ્રભાવિત થયેલા ક્ષત્રોમાં ભૂંડનું મરવાનું નિશ્ચિત હોય છે. માટે આ અંગે યોજના પણ બનાવવામાં આવી છે. જેથી ભૂંડને બચાવી શકાય.