કોરોનાની વચ્ચે મિઝોરમમાં માર્ચ મહિનાથી આફ્રિકી સ્વાઈન ફીવરનો પ્રકોપ જોવા મળ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 9460થી વધારે ભુંડને મારી નાંખવામાં આવ્યા છે જેથી બીમારી ફેલાતી અટકાવી શકાય.
મિઝોરમમાં ભુંડમાં જોવા મળી નવી બીમારી
આફ્રિકી સ્વાઈન ફીવરનો વધી રહ્યો છે પ્રકોપ
બીમારીથી બચવા 9460 ભુંડની કરાઈ હત્યા
કોરોનાની વચ્ચે મિઝોરમમાં માર્ચ મહિનાથી આફ્રિકી સ્વાઈન ફીવરનો પ્રકોપ જોવા મળ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 9460થી વધારે ભુંડને મારી નાંખવામાં આવ્યા છે જેથી બીમારી ફેલાતી અટકાવી શકાય.એક અધિકારીએ કહ્યું કે માર્ચના મધ્યમાં દક્ષિણ મિઝોરમમાં લુંગલેઈ જિલ્લાના લુંગસેન ગામમાં પહેલીવાર ભુંડના મોતની જાણ થઈ હતી. આ બીમારીના કારણે પૂર્વોત્તર રાજ્યના દરેક 11 જિલ્લામાં લગભગ 25260 સુઅરના જીવ લીધા છે. રાજ્યના પશુપાલન અને પશુ ચિકિત્સા વિભાગના અધિકારીએ કહ્યું કે આફ્રિકી સ્વાઈન ફીવરના કારણે 121 કરોડ રૂપિયાથી વધારેનું નાણાંકીય નુકસાન પણ થયું છે.
માર્ચમાં આવ્યો પહેલો કેસ
આ સંક્રામક બીમારીના કારણે અહીં અત્યારસુધીમાં 9460થી વધારે ભુંડને મારી દેવાયા છે. જેથી અન્ય સ્વસ્થ ભુંડમાં આ બીમારીને ફેલાતી અટકાવી શકાય. એક અધિકારીએ કહ્યું કે માર્ચના મધ્યમાં દક્ષિણ મિઝોરમમાં લુંગલેઈ જિલ્લામાં પહેલીવાર ભુંડનું મોત થયું હતું. ગ્રામીણોએ કહ્યું હતું કે ભુંડ બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલા હતા. મૃત ભુંડના સેમ્પલ ભોપાલના એક ઈન્સ્ટિટ્યુટમાં મોકલવામાં આવ્યો તો તેમાં એ વાતની પુષ્ટિ કરાઈ કે ભુંડના મોત આફ્રિકી સ્વાઈન ફીવરના કારણે થયા છે. વિભાગે કહ્યું કે રાજ્યના 11 જિલ્લાના 239 ગામમાં આ ફીવરની જાણકારી સામે આવી છે.
આઈઝોલમાં સૌથી વધારે અસર
અધિકારીઓનું કહેવું છે કે 11 જિલ્લામાંથી સૌથી વધારે પ્રભાવિત આઈઝોલ રહ્યું છે. અહીં લગભગ 10780 ભુંડ મારી દેવામાં આવ્યા છે. આ પછી લુંગલેઈમાં 4135, સેરછિપમાં 3500 અને મમિતમાં 2880 ભુંડના મોત થયા છે. જાણકારોનું કહેવું છે કે આ પ્રકોપ પડોશી દેશ મ્યાંમાર, બાંગ્લાદેશ અને તેની સાથે જોડાયેલા મેઘાલયના ઈમ્પોર્ટ ભુંડ કે ભુંડના માંસના કારણે થયા હશે. પૂર્વોત્તર ક્ષેત્રના વાર્ષિક પોર્ક (માંસ)નો કારોબાર લગભગ 8000-10000 કરોડ રૂપિયા છે. જેમાં આસામનો કારોબાર સપ્લાય સૌથી મોટો છે. ભુંડનું માંસ આ ક્ષેત્રના આદિવાસીઓ અને બિન આદિવાસીની પસંદગીના માંસમાંનું એક છે.
માણસો સાથે આ બીમારીનું કનેક્શન
આફ્રિકી સ્વાઈન ફીવરનો કે પહેલીવાર કેન્યામાં 1921માં આવ્યો હતો. જાણકારોના અનુસાર માણસ આફ્રિકી સ્વાઈન ફીવરથી સંક્રમિત થતા નથી. જો કે તે વાયરસના કેરિયર હોઈ શકે છે. અત્યાર સુધી આ વાયરસની કોઈ વેક્સિન બની નથી. પૂર્વોત્તર રાજ્યોના લોકો વિશેષ કરીને ભુંડ પાલન કરનારાને આગ્રહ કરી રહ્યા છે કે અન્ય રાજ્યો અને પડોશી દેશો ખાસ કરીને મ્યાંમારથી ભુંડ અને તેનું માંસ લાવવાને અટકાવે જેથી વાયરસની અસરને કંટ્રોલ કરી શકાય.