કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટા 2 નિર્ણય લેવામાં આવ્યા હતા. પ્રથમ નિર્ણય એવો હતો કે, તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તથા બીજો નિર્ણય એવો હતો કે, 2 વર્ષ માટે MPLAD ફંડને ખતમ કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં લડવા માટે કરાશે.
મોદી સરકારનો મોટો નિર્ણય
સાંસદોના પગારમાં 30 ટકાનો કરાશે ઘટાડો
કોરોના સામેની જંગમા આ પૈસાનો થશે ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, કેબિેનેટમાં લેવાયેલા આ નિર્ણય અંગેની જાણકારી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. તેમણે જણાવ્યું કે, દેશના તમામ સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદોનો આ પગાર કોરોના સામેની જંગ લડવાના ઉપયોગમાં લેવાશે.
Union Cabinet approves Ordinance amending the salary, allowances and pension of Members of Parliament Act, 1954 reducing allowances and pension by 30% w.e.f. 1st April, 2020 for a year. pic.twitter.com/afToRH8bfy
ઉલ્લેખનીય છે કે, આ મામલે કેન્દ્ર સરકાર અધ્યાદેશ જાહેર કર્યો છે. આ સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ પણ એકવર્ષ માટે પોતાના પગારમાં 30 ટકા ઘટાડો કરશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યપાલોએ આ નિર્ણય સ્વેચ્છિક રીતે કર્યો છે.
The President, Vice President, Governors of States have voluntarily decided to take a pay cut as a social responsibility. The money will go to Consolidated Fund of India: Union Minister Prakash Javadekar https://t.co/ExTFqVJTMapic.twitter.com/xubj3ObqAn
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેબિનેટમાં સાંસદોના સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MPLAD)ને 2 વર્ષ માટે ખતમ કરવા અંગે સહમતિ મળી છે. વર્ષ 2021-22 માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખતમ કરવામાં આવશે.
Cabinet approves temporary suspension of MPLAD Fund of MPs during 2020-21 & 2021-22 for managing health& adverse impact of outbreak of #COVID19 in India. The consolidated amount of MPLAD Funds for 2 years - Rs 7900 crores - will go to Consolidated Fund of India: Prakash Javadekar pic.twitter.com/Suy20pFLQi
આપને જણાવી દઇએ કે, લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને પોતાના ક્ષેત્રના વિકાસ માટે દરવર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જેને MPLAD ફંડ તરીકે ઓળખવામાં આવે છે. 2 વર્ષ સુધી આ ફંડને બંધ કરવાથી સરકાર પાસે 79000 કરોડ રૂપિયાની બચત થશે. આ પૈસા ભારત સરકારના Consolidated Fund માં જશે અને જેનો ઉપયોગ કોરોના સામેની જંગમાં કરવામાં આવશે.