અફઘાનિસ્તાનમાં થઇ રહેલી ઉથલ પાથલના કારણે ભારતના વ્યાપાર પર ખરાબ અસર થઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યો ત્યારથી ભારત સાથે બિઝનેસ બંધ છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ
ભારતમાં ડ્રાયફ્રુટ્સ બિઝનેસમાં ઘટાડો
વધી ગયા ડ્રાયફ્રુટ્સના ભાવ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો
જ્યારથી દેશમાં તાલિબાનીઓનું રાજ શરૂ થયુ છે ત્યારથી સુકા મેવાનો ભાવ જમ્મૂમાં વધી ગયો છે. વ્યાપારીઓનું કહેવું છે કે સુકા મેવાની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે. ભાવ વધવાથી વ્યાપારીઓને પણ ભારે નુસાન થયું છે.
10 દિવસમાં વધ્યો ભાવ
જો તુલના કરવામાં આવે તો 10 દિવસ પહેલા અંજીરનો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને 1200 રૂપિયા થઇ ગયો છે. પિસ્તા પહેલા 1800 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને 2400 રૂપિયા થઇ ગયા છે. બદામની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. 10 દિવસ પહેલા સુધી 650 રૂપિયા પ્રતિ કિલો વેચાનારી બદામ હવે 900 રૂપિયા કિલો સુધી વેચાઇ રહી છે. કિશમિશના ભાવ 250 રૂપિયા હતા જે વધીને 450 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે.
શું કહે છે વેપારીઓ
જમ્મૂમાં સુકા મેવાની દુકાન ચલાવનાર શાંતિ ગુપ્તા કહે છે કે, અફઘાનિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિના કારણે આયાત પ્રભાવિત થઇ છે. તેમણે કહ્યું કે, સુકા મેવાની કિંમત ખુબ વધી છે, ગ્રાહકોને સમસ્યા ખબર નથી પડી રહી પરંતુ તહેવાર પહેલા અમને ઘણું નુકસાન થઇ રહ્યું છે.
જમ્મૂમાં પિસ્તા ખરીદવા આવેલ એક ગ્રાહકે જણાવ્યું કે, હું એક સિનીયર સિટીઝન છું. નિયમિત રીતે સુકા મેવા ખરીદુ છુ કારણકે તેનાથી ઇમ્યૂનિટી વધે છે પરંતુ અત્યારે ભાવ ખુબ વધી ગયા છે. તો સુકા મેવા ખરીદવા મુશ્કેલ થઇ ગયા છે.
મહત્વનું છે કે કોરોના દરમિયાન દુકાનદારોએ અંજીર જેવા ડ્રાઇફ્રુટ્સ વેચીને ઘણો નફો કર્યો હતો. અંજીર રોગપ્રતિકારક શક્તિ વધારે છે પરંતુ હવે તેની કિંમત પણ વધી ગઇ છે. હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે.