દેશમાં લોકતંત્ર નહીં હોય. શાસન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવશે.
દેશમાં લોકતંત્ર નહીં હોય
શાસન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવશે
એરફોર્સના પાયલટ અને સૈનિકોને ફરી જોડાવા કહેવામાં આવી શકે
શાસન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારના સ્વરુપને લઈને દુનિયાભરની નજર છે. આ દરમિયાન સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ કર્યો છે કે દેશમાં લોકતંત્ર નહીં હોય. શાસન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવશે. તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હૈબતુલ્લાહ અખુંજાદાનું પદ દેશમાં લગભગ રાષ્ટ્રપતિ જેવું હશે.
એરફોર્સના પાયલટ અને સૈનિકોને ફરી જોડાવા કહેવામાં આવી શકે
સાથે અફઘાનિસ્તાની એરફોર્સના પાયલટ અને સૈનિકોને ફરી જોડાવા કહેવામાં આવી શકે છે. જો કે હાલમાં જ્યારે તાલિબાની દેશની સત્તા પર રાજ કરવા માટે આગળ વધી રહ્યા હતા. ત્યારે અનેક પાઈલટને નિશાનો બનાવાયો હતો. આ ઉપરાંત ગત 20 વર્ષ દરમિયાન તાલિબાન સતત અફઘાનિસ્તાની સૈનિકો પર હુમલો કરતા રહ્યા છે. પરંતુ હવે અતિવાદી સંગઠને અલગ જ વલણ અપનાવ્યું છે.
પહેલી વાર સરકાર જેવુ જ હશે સ્વરુપ
તાલિબાનના સભ્ય વહીદુલ્લાહ હાશિમીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે સરકારનું સ્વરુપ થોડુ થોડું વીસ વર્ષ પહેલાની સરકાર જેવું હશે. તે સમયે મુલ્લા ઉમર સુપ્રીમ લીડર હતો અને તાલિબાનીની કાઉન્સિલનું શાસન હતુ. હવે અખુંજાદાનો રોલ કંઈક એવો જ રહી શકે છે. એટલે કે હેડ ઓફ કાઉન્સિંલની જેમ.
હૈબતુલ્લાહ બાદ સરકારમાં આ હશે સૌથી પાવરફુલ
અખુંજાદા બાદ ત્રણ નેતા તાલિબાનીમાં સૌથી મહત્વપૂર્ણ છે. પહેલો મુલ્લા ઉમરના દીકરા મૌલવી યાકૂબ, બીજો હક્કાની નેટવર્કના કમાન્ડર સિરાજુદ્દીન હક્કાની, ત્રીજો તાલિબાનનો ફાઉન્ડર મેમ્બર અબ્દુલ ગની બરાદર, આ ત્રણ નેતા તાલિબાન સરકારમાં સૌથી શક્તિશાળી પદો પર હોઈ શકે છે. હાશિમીનું કહેવું છે કે હાલ અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં લોકતંત્ર નહીં હોય.
લોકતંત્રની સિસ્ટમ નહીં હોય
હાશિમીએ કહ્યું કે કોઈ લોકતાંત્રિક સિસ્ટમ નહીં હોય કેમ કે આ સિસ્ટમ અમારા દેશમાં કોઈ બેઝ નથી. અમે એમ પણ નથી જણાવી શકતા કે કેવી પ્રકારનું શાસન હશે. કેમ કે આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. અમારા શાસનનો આધાર શરિયા કાયદો હશે અને આજ અંતિમ નિર્ણય છે. હાશિમીનું કહેવું છે કે તે આ અઠવાડિયાના અંતમાં તાલિબાનની બેઠકમાં ભાગ લેશે જેમાં સરકારનું સ્વરુપ અને મુદ્દા પર ચર્ચા થવાની છે.