અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કબજો વધી રહ્યો છે. તાલિબાનો કાબૂલથી હવે માત્ર 15 કિલોમીટર દૂર છે ત્યારે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મોટું નિવેદન આપ્યું હતું.
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ!
કાબુલથી 15 કિમી દૂર તાલિબાન
રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું- દેશ ખતરામાં
છેલ્લા કેટલાક સમયગાળાથી અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ નિવેદન આપતા કહ્યું કે અફઘાનિસ્તાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
દેશ ખતરામાં હોવાની રાષ્ટ્રપતિએ કરી વાત
અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે પ્રયાસ કરીશું. અમે હાલ અનેક દેશો પાસેથી સલાહ લઇ રહ્યા છીએ. હાલ તાલિબાન કાબુલથી 15 કિલોમીટર દૂર છે અને દેશના 65 ટકા વિસ્તારમાં તાલિબાનનો કબ્જો છે. ત્યારે હવે અશરફ ગની રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપે તેવી પણ શક્યતા છે.
ગનીના પ્રસ્તાવને ફગાવ્યો
અશરફ ગની સરકાર તરફથી તાલિબાનના સંયુક્ત સત્તાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તાલિબાને પ્રસ્તાવ ફગાવી દીધો અને અફઘાનિસ્તાન પ્રાંતો પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. અને શાંતિવાર્તા સમિતિ નવી રણનીતિ તૈયાર કરવામાં લાગી છે. જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગીની સરકાર જ પડી જશે.
મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે જે નવા ફોર્મૂલા પર કામ થઇ રહ્યું છે. તેના અંતર્ગત ગની સરકારે પીછેહટ કરવી પડશે. તાલિબાન સેના અધિકારીઓ અને કેટલાક વર્તમાન પ્રતિનિધિઓ સાથે અંતરિમ સરકાર બનાવશે. અને તમામ વિચારવિમર્શ બાદ આ ફોર્મૂલા તમામ સંબંધિત દળો સાથે ચર્ચા કરાશે. પરંતુ જો તાલિબાન અફઘાનિસ્તાન પર સત્તા મેળવી લે તો તેમનો નેતા કોણ હશે તે પણ સવાલ છે. ત્યારે હાલ હૈબતુલ્લા અખુનજાદાના હાથમાં આતંકી સંગઠનની કમાન છે અને તે જ તાલિબાનનો નેતા હશે.
ભારતીયોને અમારાથી કોઈ ખતરો નથી : તાલિબાન
ભારતને લઈ તેમણે કહ્યું કે, તાલિબાનના વિરૂદ્ધમાં અફઘાનની ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. આ ઉપરાંત કહ્યું કે, અમે કોઈ પણ પાડોશી દેશને તાલિબાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાનની ધરતીના ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. ભારતીય સૈન્યને અફઘાનિસ્તાનમાં આવતા પહેલા અન્ય દેશની સ્થિતિને જોઈ લેવી જોઈએ. સાથે જ તેમણે ગુરુદ્વારાને ટાર્ગેટ બનાવવા માટે કહ્યું કે, ગુરુદ્વારામાંથી ઝંડો અમે નહીં શિખ સમુદાય દ્વારા જ હટાવવામાં આવ્યો હતો અને જ્યારે અમારા સુરક્ષા અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે શિખ સમુદાય દ્વારા ઝંડો હટાવવામાં આવ્યો હતો, ત્યારે અમારા અધિકારીઓએ ફરીથી ઝંડો ફરકાવવા દેવાનું આશ્વાસન પણ આપ્યું.
ભારતીય સેના આવશે તો...
તો આ સાથે જ તાલિબાનોના પ્રવક્તાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત સૈન્ય રૂપે અફઘાનિસ્તાન આવશે કે તેમની હાજરી જોવા મળશે તો મને લાગે છે કે, આ તેમના માટે સારું નહીં રહે. તેમણે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોના સેન્યની સ્થિતિ જોઈ છે માટે તેમના માટે એક ખુલ્લી કિતાબ છે.
12થી વધુ રાજધાની પર તાલિબાનોએ કર્યો છે કબજો
અગાઉ પણ નાટોએ અફઘાનિસ્તાન પર તાલિબાનના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાટોએ પણ તાલિબાનને હુમલો રોકવા કહ્યું હતું, પરંતુ તાલિબાનોએ તેમના હુમલા ચાલુ રાખ્યા છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનની 12 થી વધુ પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે અને એવું માનવામાં આવે છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો કાબુલ પણ ટૂંક સમયમાં તેના નિયંત્રણમાં આવી જશે.
હેરાતના મોટા નેતા તાલિબાન સાથે જોડાયા
અફઘાનિસ્તાનમાં આતંકીનું વર્ચસ્વ વધતુ જઈ રહ્યું છે. એક બાદ એક શહેર પર તાલિબાની આતંકીઓ કબજો જમાવી રહ્યા છે.. અફઘાનિસ્તાનના હેરાતમાં પણ તાલિબાને કબજો જમાવ્યો છે. હેરાતના મોટા નેતા ઈસ્માઈલ ખાન પણ તાલિબાનમાં જોડાઈ ગયા છે.. તાલિબાને હેરાતમાં કબજો જમાવ્યા બાદ અમેરિકાના ઉપકરણો અને હથિયારોની લૂંટ કરી છે. અમેરિકી સૈન્યનું બ્લેક હોક હેલિકોપ્ટર કે જે હેરાત એરપોર્ટ પર હતું. તેમાં પણ લૂંટ કરી છે.