તાલિબાનને અફઘાનિસ્તાનને પોતાના કબ્જામાં લેતા રહેલી વાર સામાન્ય જનતા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહી છે.
તાલિબાને 3 પ્રદર્શનકારીઓની ગોળી મારી હત્યા કરી
જનતા રસ્તા પર ઉતરી તાલિબાન સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે
દેશમાં ઈસ્લામિક સરકાર બનાવવામાં આવશે
તાલિબાને 3 પ્રદર્શનકારીઓની ગોળી મારી હત્યા કરી
સામાન્ય જનતા રોડ પર ઉતરી તાલિબાનનો વિરોધ કરી રહી છે. સમાચાર છે કે આ દરમિયાન જલાલાબાદમાં તાલિબાનીઓએ ઓછામાં ઓછા 3 પ્રદર્શનકારીઓની ગોળી મારી હત્યા કરી દીધી છે. કાબૂલ પર રાજ કર્યા બાદ દેશમાં તાલિબાનની વિરુદ્ધ પહેલીવાર વિરોધ પ્રદર્શન થયા હતા. આ દરમિયાન અનેક શહેરોમાં જનતા અફઘાનિસ્તાનનો ઝંડો લહેરાવતા સૂત્રોચ્ચાર કરી રહી હતી.
જલાલાબાદ ઉપરાંત આ પ્રદર્શન દરમિયાન ક્યાંય પણ હિંસાના સમાચાર નથી
સમાચાર એજન્સી એઅનઆઈ અનુસાર જલાલાબાદ ઉપરાંત આ પ્રદર્શન દરમિયાન ક્યાંય પણ હિંસાના સમાચાર નથી. જલાલાબાદમાં તાલિબાની તરફથી શરુ થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 3 અફઘાનીના મોત થયા હતા. એજન્સીએ તુર્કીના ટીઆરટીના હવાલાથી લખ્યું, ‘તાલિબાન તરફથી અફઘાન ઝંડાને હટાવવાના વિરોધમાં થયેલી રેલીમાં અફઘાનિસ્તાનના પૂર્વ શહેર જલાલાબાદમાં ઓછામાં ઓછા 3 લોકોને કથિત રુપમાં ગોળી મારવામાં આવી.’
તાલિબાનના કાબૂલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં વિરોધ
તાલિબાને કાબુલ પર કબ્જો કરતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ કોઈ કામનો ન રહ્યો. પ્રદર્શનો દરમિયાન દેશમાં અનેક પ્રાંતમાં રેલીઓ કાઢવામાં આવી . મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે નાનગરહર, કુનાર અને ખૌસ્તના પૂર્વ પ્રાંતમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજની સાથે જનતા પ્રદર્શન કરતી નજરે પડી રહી. અફઘાનિસ્તાનમાં હજું સુધી સત્તાનું ઔપચારિક એલાન નથી થયું. તાલિબાને હજું સુધી કોઈને પણ રાષ્ટ્રીય મુખ્યા નિયુક્ત નથી કર્યા.
દેશમાં ઈસ્લામિક સરકાર બનાવવામાં આવશે
ટોલો ન્યૂઝના હવાલાથી એજન્સી લખે છે ‘તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે તે જલ્દી જ સમજૂતિ પર પહોંચી જશે. જેના માધ્યમથી દેશમાં ઈસ્લામિક સરકાર બનાવવામાં આવે. તેમણે સૌગંદ ખાધા છે કે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક અમીરાત કોઈ પણ દેશ માટે ખતરો નહીં બને. ગત રવિવારે તાબિબાને કાબૂલ પ્રવેશ કરી રાષ્ટ્રપતિ ભવન પર નિયંત્રણ કરી લીધું હતુ. કાબૂલ પર કબ્જો કર્યા બાદ તાલિબાનના નેતા દોહામાં ભવિષ્યની સરકાર બનાવવાની યોજનાની વાત કરી રહ્યા છે.