બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત ચાર લોકોના મોત
Last Updated: 05:17 PM, 11 December 2024
Afghanistan : તાલિબાનના પ્રવાસન મંત્રી અને તાલિબાનના ગૃહ પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલુર રહેમાન હક્કાની કાબુલમાં વિસ્ફોટમાં માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના બે વરિષ્ઠ નેતાઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનના શરણાર્થી મંત્રાલય પાસે થયો હતો. ખલીલ રહેમાન હક્કાની અફઘાનિસ્તાનમાં સૌથી પ્રભાવશાળી તાલિબાન જૂથોમાંના એક હક્કાની નેટવર્કના મુખ્ય સભ્ય હતા. તે અફઘાનિસ્તાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા. હક્કાની પરિવારે તાલિબાન અને અફઘાનિસ્તાનના રાજકીય મામલામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
At least 2 senior Taliban leader confirmed that Minister for Refugees, khalil Rahman Haqqani, was killed today in a bomb blast in Kabul. He was a prominent figure in the Haqqani Network and the uncle of Afghanistan’s Interior Minister, Sirajuddin Haqqani. The explosion occurred…
— Sami Yousafzai سمیع یوسفزي (@SamiYousafzaii) December 11, 2024
ખલીલ રહેમાન હક્કાનીના મૃત્યુને તાલિબાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે આ સંગઠનના ટોચના નેતૃત્વનો ભાગ હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ખલીલ રહેમાન હક્કાની મંત્રાલયમાં મહત્વની મીટિંગ માટે હાજર હતા. આત્મઘાતી બોમ્બરે જ્યાં મંત્રીઓ હાજર હતા તે સ્થળે પોતાની જાતને ઉડાવી દીધી હતી જેમાં હક્કાનીનું સ્થળ પર જ મોત થયું હતું. વિસ્ફોટ બાદ મંત્રાલય પરિસરમાં અરાજકતાનું વાતાવરણ હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. જોકે તાલિબાન સરકારે હજુ સુધી અન્ય મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.
ADVERTISEMENT
શું છે હક્કાની નેટવર્કનો ઈતિહાસ ?
હક્કાની નેટવર્ક એક કટ્ટરવાદી જેહાદી જૂથ છે જે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને કામ કરી રહ્યું છે. આ જૂથ ખાસ કરીને અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળો અને વિદેશી મિશન પર હુમલા કરવા માટે કુખ્યાત છે. હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પ્રભાવશાળી નેટવર્ક ધરાવે છે અને આ જૂથના સભ્યો અનેક મોટા આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યા છે.
વધુ વાંચો : 48 કલાકમાં 480 એરસ્ટ્રાઈક, શું છે સીરિયામાં નેતન્યાહૂનો પ્લાન
શું કહ્યું તાલિબાને ?
તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ હુમલાનો હેતુ તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો હતો. જોકે તાલિબાને આ હુમલા પાછળ કોઈ ચોક્કસ જૂથ કે સંગઠનનું નામ લીધું નથી. આ ઘટના બાદ તાલિબાને સુરક્ષા વધારવાની અને આવા હુમલાઓને રોકવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT