હેરાતથી દિલ્હી આવી રહેલું પેસેન્જર પ્લેન દુર્ઘટનાંગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનાં સ્થાનિક સમય મુજબ બપોરે 1.10 વાગે બની હતી. આ દુર્ઘટનાનો ભોગ બનનાર વિમાન એરિયાના અફઘાન એરલાઈન્સનું હતું. જે વિસ્તારમાં આ ઘટનાં બની તે તાલિબાનનીઓનાં તાબા હેઠળનો વિસ્તાર છે.
ટનાનું કારણ જાણી શકાયું નથીઘ
તાલિબાનીઓનાં તાબા હેઠળનાં વિસ્તારમાં દુર્ઘટના બની હતી
આ જગ્યાએ અગાઉ પણ વિમાન કૈશ થાય છે
કેટલા લોકો માર્યા ગયા તે જાણી શકાયું નથી
હેરાતથી દિલ્હી આવી રહેલું પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનાં સ્થાનિક સમય મુજબ બપોરે 1.10 વાગે બની હતી. આ દુર્ઘટનાનો ભોગ બનનાર વિમાન એરિયાના અફઘાન એરલાઈન્સનું હતું. જ્યાં ઘટનાં બની તે તાલિબાનીઓનાં તાબા હેઠળનાં વિસ્તાર છે. જો કે આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા તે જાણી શકાયું નથી.
વિમાનમાં 110 લોકો સવાર હતા
અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સીનાં જણાવ્યાનું સાર હેરાત હવાઈ મથકના કંટ્રોલ ટાવરનાં અધિકારીઓનું કહેવું છે કે વિમાન એરિયાના અફઘાન એરલાઈન્સનું હતું. જેમાં 110 લોકો સવાર હતા અને આ વિમાને હેરાતથી દિલ્હી આવવા માટે ઉડાન ભરી હતી.
અકસ્માતનું કારણ જાણી શકાયું નથી
ગજની પ્રાંતનાં ગવર્નરનાં પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું હતું કે દેહ યાક જિલ્લાનાં સ્થાનીક સમયાનુસાર 1.10 વાગે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલું છે. જે હિંદુકુશની તલછટીમાં વસેલું છે. ઠંડીનાં દિવસોમાં અહીં ખૂબ ઠંડી પડે છે અને વાતાવરણ પણ ખૂબ ખરાબ હોય છે.
અહીં વારંવાર થાય છે પ્લેન ક્રેશ
આ પહેલા વર્ષ 2005માં અફઘાનિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના બની હતી. કમ એર ફ્લાઈટનાં વિમાને પશ્ચિમી હેરાતથી કાબુલ માટે ઉડાન ભરી હતી. વાતાવરણ ખરાબ હોવાનાં કારણે પહાડી વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં કેટલાય વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયા છે. વર્ષ 2013માં અમેરિકી બોઈંગ 747 કાર્ગો વિમાન ક્રેશ થયું હતું. આ વિમાને કાબુલથી ઉત્તર વિસ્તારમાં આવેલ બગરામ એરબેસથી ઉડાન ભરી હતી. જે દુબઈ જઈ રહ્યું હતું. આ વિમાનમાં સવાર 7 ક્રુ મેમ્બર્સનાં મોત નિપજ્યાં હતાં.