તાલિબાને અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહને ટોર્ચર કરી હત્યા કરી કહ્યું આના મૃત દેહને સડાવવો જોઈએ.
તાલિબાને ગુરુવારે પંજશીર ઘાટીમાં રોહુલ્લાહને પહેલા ટોર્ચર કર્યો
તાલિબાનની કહી રહ્યા હતા કે તેમના શરીરને સડાવવું જોઈએ
ઈબ્દુલ્લાએ રોયટરના ઈન્ટર્વ્યૂમાં કર્યો ખુલાસો
તાલિબાને ગુરુવારે પંજશીર ઘાટીમાં રોહુલ્લાહને પહેલા ટોર્ચર કર્યો
રિપોર્ટ મુજબ તાલિબાને ગુરુવારે પંજશીર ઘાટીમાં રોહુલ્લાહને પહેલા ટોર્ચર કર્યો અને બાદમાં તેની નિર્દય રીતે હત્યા કરી. રોહુલ્લાના ભત્રીજા ઈબ્દુલ્લાએ જણાવ્યું કે તાલિબાનની કહી રહ્યા હતા કે તેમના શરીરને સડાવવું જોઈએ.
ઈબ્દુલ્લાએ રોયટરના ઈન્ટર્વ્યૂમાં કર્યો ખુલાસો
ઈબ્દુલ્લાએ ન્યૂઝ એજન્સી રોયટરને જણાવ્યું કે તેમણે તેમને કાલે મારી નાંખ્યા. તેઓ(તાલિબાન) અમને તેમને(રોહુલ્લા) દફનાવવા નથી દઈ રહ્યા. તેઓ કહે છે કે તેમનું શરીર સડાવવું જોઈએ.
તાલિબાને પંજશીર પર કબ્જો કર્યાનો દાવો કર્યો
તાલિબાને પંજશીર પર કબ્જો કર્યાનો દાવો કર્યો છે પરંતુ એનઆરએફ તેના દાવાને ફગાવી દીધો છે. કેટલાક રિપોર્ટમાં દાવા કરાયા છે કે પંજશીર તાલિબાનના કબ્જામાં આવી જતા નેતા અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ દેશ છોડીને તાઝાકિસ્તાન ચાલ્યા ગયા છે. જો કે તાઝાકિસ્તાનમાં અફઘાનના રાજદૂતે આ રિપોર્ટ્સને ફગાવી દેતા કહ્યું કે હજું તેઓ અફઘાનનમાં જ છે. અને તેઓ તાલિબાન સાથે લડી રહ્યા છે. હું તેમના સંપર્કમાં છું. તે હજું પણ પંજશીરમાં છે અને ત્યાંથી અફઘાનિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબ્જો કરી દીધો હતો. તાલિબાનનો દાવો છે કે તેણે પંજશીર પર કબ્જો કરી લીધો છે. પરંતુ રેજિસ્ટેન્સ ફોર્સે હજું સુધી હાર નથી માની તે હજું સુધી લડી રહ્યા છે.