સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC)ને તાલિબાનને લઈને દ્રષ્ટિકોણ બદલ્યો છે. આતંકવાદના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું.
તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર ન કરી શકાય-UNSC
UNSCએ આતંકવાદના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું
નવા નિવેદનમાં તાલિબાનનું નામ નહીં
તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર ન કરી શકાય-UNSC
અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાને તાલિબાનને 2 અઠવાડિયા પણ નથી થયા પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC)ને તાલિબાનને લઈને દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પહેલા જ સંકેત આપવામાં આવ્યા છે કે હવે તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર ન કરી શકાય.
UNSCએ પહેલા આપેલું નિવેદન
16 ઓગસ્ટે UNSCમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિએ ફરી UNSCના અધ્યક્ષ તરીકે અને પરિષદ તરફથી એક નિવેદન જારી કર્યું હતું.
જેમાં લખવામાં આવ્યુ હતુ કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો સામનો કરવાના મહત્વને રિપીટ કર્યો જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ કોઈ પણ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા માટે નહીં કરવો જોઈએ. અને ન તો તાલિબાન અને ન કોઈ પણ અફઘાન સમૂહ અથવા વ્યક્તિને કોઈ પણ દેશના વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓનું સમર્થન ન કરવું જોઈએ.
નવા નિવેદનમાં તાલિબાનનું નામ નહીં
27 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદ તિરુમૂર્તિએ ફરી UNSCના અધ્યક્ષ તરીકે અને પરિષદ તરફથી એક નિવેદન જારી કર્યું છે. 16 ઓગસ્ટે લખેલા પેરેગ્રાફને ફરી રિપીટ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં એક ફેરફાર કરતા તાલિબાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો સામનો કરવાના મહત્વને રિપીટ કર્યો જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ કોઈ પણ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા માટે નહીં કરવો જોઈએ અને કોઈ પણ અફઘાન સમૂહ અથવા વ્યક્તિને કોઈ પણ દેશના વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓનું સમર્થન ન કરવું જોઈએ.
અફબરુદ્દીને કર્યો ફેરફારનો ઉલ્લેખ
આ ફેરફાર બાદ સૌથી પહેલા ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિઝિ સૈયદ અકબરુદ્દીને કર્યો. તેમણે UNSCના સ્ટેટમેન્ટની કોપી શેર કરતા લખ્યું કે ફક્ત 15 દિવસમાં ટી શબ્દને હટાવી દેવામાં આવ્યો છે.
શું બદલાઈ રહી છે પરિસ્થિતિ?
અધિકારીઓએ કહ્યું કે નિવેદન પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય જમીની વાસ્તવિક્તાઓના ફેરફારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હકિકતમાં તાલિબાન વિદેશિઓને હાલમાં નિકળવામાં મદદ કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે તેમણે 15 ઓગસ્ટ સુધીમં 1 લાખથી વધારે લોકોને કાઢ્ય હતા. ભારતીય દૂતાવાસને 17 ઓગસ્ટે ખાલી કરાવવામાં આવ્યું હતુ. આ બાદ UNSC તરફથી પહેલુ નિવેદન જારી કરવામાં આવ્યું હતુ . 27 ઓગસ્ટે UNSC તરફથી જે નિવેદન જારી કરાયું તેમાંથી હવે તાલિબાનને જવાબદાર નથી ઠરાવવામાં આવી રહ્યા.