કાબુલથી રવાના થયેલ એરફોર્સનું વિમાન જામનગર ઉતર્યું, કાબુલથી માદરે વતન પહોંચેલા લોકો થયા ભાવુક
ભારતીયોને લઇને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન
એરફોર્સના વિમાનમાં ભારતીય રાજદૂત-સ્ટાફ છે સવાર
એરફોર્સના વિમાન ઇંધણ ભરી દિલ્હી જવા રવાના વિમાન
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાનમાંથી પલાયન થઈ રહ્યા છે. વિશ્વની મહાસત્તાએ પણ હવે હાથ ઉંચા કરી લેતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે, વિમાનમાં લોકો લટકીને પણ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવામાં ભારતીય વાયુ સેના દ્વારા રેશ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.વાયુસેનાના સ્પેશિયલ મિશન અંતર્ગત ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરવોમાં આવી રહ્યા છે ત્યારે ભયંકર પરિસ્થિતિની વચ્ચે અફઘાનિસ્તાનથી ભારતીય એરફોર્સનું C-17 એરક્રાફ્ટ નાગરિકોને લઈને જામનગરમાં પહોંચ્યું હતું.
હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે એ માટે તત્કાલ વડાપ્રધાને ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી છે, જેમાં આજે 150 જેટલા ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.
#WATCH | Evacuated Indians from Kabul, Afghanistan chant 'Bharat Mata Ki Jai' after landing in Jamnagar, Gujarat. pic.twitter.com/IqvESz79IO
ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું જે સમયે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર પણ હાજર રહ્યા હતા. તેમજ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
એરફોર્સના વિમાનમાં ભારતીય રાજદૂત-સ્ટાફ છે સવાર
વાયુસેના દ્વારા ભારતીઓનું એરલિફ્ટ કરવામાં આવાતા ભારતીઓમાં પરત પહોંચેલા નાગરિકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, સાથે જ પરત આવેલા નાગરિકોનું હાર પહેરાવીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું મહત્વનું છે કે આ એરક્રાફ્ટમાં ભારતીય રાજદૂત-સ્ટાફ તેમજ ITBP કર્મચારી અને મીડિયા કર્મચારી સવાર હતા અફઘાનિસ્તાનમાંથી પરત આવલા નાગરિકોને લઈ વાયુસેનાનું વિમાન પરત આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા હજુ પણ અનેક ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે તેમને ત્યાંથી પરત લાવવા માટે વાયુ સેના દ્વારા સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે વાયુસેનાનું વિમાન જામનગર ખાતે ઈંધણ ભરી પરત દિલ્હી રવાના થયું હતું,