પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં એક મસ્જીદમાં બ્લાસ્ટ થયો છે જેમાં 15 લોકોના મોત ની આશંકા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનમાં મસ્જિદની બહાર થયો વિસ્ફોટ
15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી
તેમાં તાલીબાન રહેમાન અન્સારીનું પણ મોત
પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં શુક્રવારે એક મસ્જિદની બહાર થયેલા વિસ્ફોટમાં તાલિબાનના ઉચ્ચ પ્રોફાઇલ ઇમામ રહેમાન અન્સારી અને તેના ઘણા સાથીદારોના મોત થયા છે સાથે જ બીજા ઘણા નાગરિકોના પણ મોતના સમાચાર છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. એવું કહેવામાં આવે છે કે મસ્જિદની અંદર શુક્રવારની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો. હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે મુજીબ રહેમાન અન્સારી, તેના કેટલાક રક્ષકો અને નાગરિકો સાથે, મસ્જિદ તરફ જતા સમયે માર્યો ગયો હતો.
તાલિબાનનું કહેવું છે કે લગભગ એક વર્ષ પહેલાં સત્તા સંભાળ્યા પછી તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં ઘણા વિસ્ફોટો થયા છે, જેમાંથી કેટલાક નમાજ દરમિયાન વ્યસ્ત મસ્જિદોને નિશાન બનાવતા હતા.