અફગાનિસ્તાનના નંગાહરના જલાલાબાદ શહેરમાં એક આત્મઘાતી હુમલો થયો છે. જે હુમલામાં 6 લોકોના મોત થયા હતા અને 20થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ હુમલો આજે બપોરે ભીડ વાળા વિસ્તારમાં થયો હતો.
તમને જણાવી દઈયે કે થોડા દિવસો પહેલાં અફગાનિસ્તાનના બાગલાન વિસ્તારમાં એક ઉર્જા કંપનીના સાત એન્જીનિયરો સહિત આઠ લોકોને અજાણ્યા બંદુખધારીઓએ બંદી બનાવ્યા હતા. આ ઘટનાની જવાબદારી કોઇ સંગઠને લીધી નથી પણ આ ક્ષેત્રમાં તાલિબાનનો પ્રભાવ છે. સ્થાનીક અધિકારીઓએ આ સંગઠન પર શક કર્યો હતો.
ત્યારબાદ અફગાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદીન રબ્બાનીએ તાલીબાન દ્વારા બંદી બનાવેલ ભારતીયોને છોડાવવામાં કઈ કસર નોતી છોડી. અફગાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વિદેશ મંત્રી રબ્બાનીએ ભારતીય એન્જીનીયરો માટે દુઃખ વ્યકત કર્યું હતું.