સતત ભયમાં જીવી રહેલા અફઘાની સ્થાનના હિંદુ અને સિખ સમુદાયે કેનેડા પાસે મદદ માંગી છે.
અફઘાનિસ્તાનના સિખ અને હિંદુ સમુદાયોના આંતરરાષ્ટ્રીય સમુદાયે અપીલ
કાબુલમાં 5થી 4 ગુરુદ્વારા બંધ થઈ ચૂક્યા છે
કેનેડા પાસે માંગવામાં આવી મદદ
અફઘાનિસ્તાનના સિખ અને હિંદુ સમુદાયોના આંતરરાષ્ટ્રીય સમુદાયે અપીલ
યુદ્ધનો માર સહન કરી રહેલા અફઘાનિસ્તાનના સિખ અને હિંદુ સમુદાયોના આંતરરાષ્ટ્રીય સમુદાયે અપીલ કરી છે કે વધારે મોડું થઈ જાય એ પહેલા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ કાબુલ સ્થિત ગુરુદ્વારા કરતા પરવાનના અધ્યક્ષ ગુરનામ સિંહે કહ્યું કે સતત બનેલા તાલિબાનના ડરના કારણે કાબૂલમાં લગભગ 150 સિખ અને હુંદુઓ રહેતા હતા. સિંહે આગળ કહ્યું કે હજું પણ અમે કાબૂલમાં રહી રહેલા અને સુરક્ષિત છે પરંતુ કોઈ નથી જાણતું કે અમે ક્યાં સુધી સુરક્ષિત રહીશુ. સાથે તેમણે એમ પણ કહ્યું કે અહીંથી જવામાં પણ બહું ડર લાગી રહ્યો છે.
કાબુલમાં 5થી 4 ગુરુદ્વારા બંધ થઈ ચૂક્યા છે
ગુરનામે જણાવ્યું તે કાબુલમાં 5થી 4 ગુરુદ્વારા બંધ થઈ ચૂક્યા છે અને ક્ષી ગુર ગ્રંથ સાહિબના પ્રકાશ ગુરુદ્વારા કરતા પરવાનમાં જ કરવામાં આવી રહ્યો છે. સિંહે જણાવ્યું કે બચેલા સિખ અને હિદુ ભારત નથી જવા માંગતા કેમ કે ત્યાં તેમના માટે આર્થિક સુરક્ષા નથી.
કેનેડા પાસે માંગવામાં આવી મદદ
આ દરમિયાન મનમીત સિંહ ભુલ્લક ફાઉન્ડેશન, ખાલસા એન્ડ કેનેડા અને કેનેડાના વિશ્વ સિખ સંગઠન (ડબ્લ્યૂએસઓ)એ કેનેડા સરકાર પાસે અફઘાનિસ્તાનના અત્યંત નબળા સિખ અને હિંદુ અલ્પસંખ્યકો માટે એક વિશેષ કાર્યક્રમ શરુ કરવા માટે આગ્રહ કર્યો છે.
આ લોકો લાંબા સમયથી આતંકવાદી ગ્રુપને નિશાના પર
ડબ્લ્યૂએસઓના કાયદાકીય વકીલ બલપ્રીત સિંહ બોપારાઈએ કહ્યું કે અમે તે લોકો સાથે મજબૂત સમજૂતિમાં છે જે કેનેડાની સરકારને અફઘાનિસ્તાનમાં નબળી વસ્તી માટે સુરક્ષાનો રસ્તો આપવા માટે ઝડપી કાર્ય કરવા માટે કહી રહ્યા છે. જેમાં સિખ અને હિંદુ અલ્પસંખ્યક સામેલ છે જે લાંબા સમયથી આતંકવાદી ગ્રુપને નિશાના પર છે. પૂજા સ્થળો પર હુમલાનાં કારણે બાળકો અને વયસ્કોના મોત થયા છે. જો ભવિષ્યમાં વધારે મોત થયા એ વિચારવાની જગ્યાએ આપણે પૂછવુ જોઈએ કે આવું ક્યારે શક્ય છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો બળના સૈનિકોની અફઘાનીસ્થાનમાંથી પૂર્ણ વાપસીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને યુદ્ધ ગ્રસ્ત દેશોમાં એકવાર ફરી અરાજક્તા તથા હિંસા વધી રહી છે.