અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સૌને ચોંકાતા અમેરિકી યોજનાની વિપરીત એક નવો શાંતિ પ્રસ્તાવ આપ્યો છે. ત્યારે આ શાંતિ વાર્તામાં ભારતને આનાથી દૂર રાખવામાં આવ્યું છે.
ભારતને ન બોલાવીને મોટી ભૂલ કરવામાં આવી: અફઘાનિસ્તાન
શાંતિ અને સ્થિરતાનો કોઇ પણ પ્રયાસ ભારત વગર પૂર્ણ ન થઇ શકેઃ અફઘાનિસ્તાન
પાકિસ્તાન નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાન શાંતિ વાર્તામાં ભારતની કોઇ ભૂમિકા હોય
અશરફ ગનીએ કહ્યું કે, જો તાલિબાન સીઝફાયરનું એલાન કરવા અને ચૂંટણીમાં સામેલ થવા માટે રાજી થાય છે તો તે ચૂંટણી કરાવવા અને નવી સરકારને સત્તા સોંપવા માટે તૈયાર છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી હનીફ અતમરે કહ્યું કે, તેમણે આ પ્રસ્તાવને લઇને ભારતીય નેતૃત્વ સાથે પણ વાતચીત કરી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ અફઘાન શાંતિ પ્રક્રિયામાં ભારતની ભૂમિકા મહત્વની ગણાવી અને કહ્યું કે, ભારતને આનાથી દૂર રાખવા બહુ મોટી ભૂલ છે.
'ધ હિંદૂ' સાથે વાતચીતમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી હનીફ અતમરે કહ્યું કે, ભારત હંમેશાથી અફઘાન લોકોની મદદ કરતું રહ્યું છે અને આપણું બહુ સારૂ મિત્ર છે. ભારત અફઘાન સરકારની સાથે ઉભુ રહ્યું છે, ખાસ કરીને છેલ્લા 2 દાયકાઓમાં શાંતિ અને સ્થિરતાના પ્રયાસોને લઇને અફઘાનિસ્તાનના લોકો માટે બહુ જ મહત્વની વાત છે કે તેમની પાસે આવો મિત્ર છે જે હંમેશા તેમનની માટે હાજર છે. ભારતે ન માત્ર રાજકીય રીતે પરંતુ આર્થિક રીતે પણ અફઘાનિસ્તાનને ખુલ્લીને મદદ કરી છે. ભારતે હંમેશા કહ્યું છે કે જે શાંતિ પ્રક્રિયા અફઘાનોને સ્વીકાર્ય હશે, તે તેમને પણ માન્ય હશે. એટલા માટે અમે ભારતનો ફરી આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ, ભારત તરફથી જે પ્રકારની ભાગીદારી બતાવાઇ છે તે સરાહનીય છે.
કયા કયા દેશ શાંતિ વાર્તામાં જોડાયા
અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાથી જોડાયેલા વાતચીતમાં તાલિબાન, રશિયા, અમેરિકા, ઈરાન, ચીન અને પાકિસ્તાન સામેલ છે પરંતુ ભારતને આનાથી દૂર રાખવામાં આવ્યું છે. હાલમાં જ રશિયાની રાજધાની મૉસ્કોમાં થયેલી શાંતિ વાર્તામાં આ 6 દેશ હાજર રહ્યા પરંતુ ભારતને આ બેઠકનું આમંત્રણ નહોતું આપવામાં આવ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં શાંતિ માટે તૈયાર કરવામાં આવી રહેલા રોડમેપ પર ચુકાદાને લઇને રશિયાએ જે દેશોની ભાગીદારીના નામ કહ્યા હતા, તેમાં ભારતનું નામ નહોતું. ભારત સ્થિત રશિયા દુતાવાસે નિવેદન જાહેર કરીને આ સમાચારને ખોટી સૂચનાઓ પર આધારિત ગણાવ્યા હતા.
પાકિસ્તાન નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાન શાંતિ વાર્તામાં ભારતની કોઇ ભૂમિકા હોય
રશિયા-ચીન અને પાકિસ્તાન નજીક આવ્યા છે અને પાકિસ્તાન બિલકુલ નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાન શાંતિ વાર્તામાં ભારતની કોઇ ભૂમિકા હોય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના વાંધાના કારણે જ મૉસ્કોમાં થયેલી વાતચીતમાં ભારતને સામેલ ન કરવામાં આવ્યું. અફઘાનિસ્તાનના વિકાસ પરિયોજનાઓમાં ભારતે 2 અરબ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે અને તાલિબાન-પાકિસ્તાનનો પ્રભાવ વધવાથી ભારતના હિતોને નુકસાન પહોંચવાનો પણ ડર છે. જો ભારત અફઘાનિસ્તાનને લઇને થઇ રહેલી શાંતિ વાર્તામાં છે તો તેને આતંકવાદ, સુરક્ષા અને બીજા હિતોને પ્રભાવિત કરનારા મુદ્દાઓને લઇને પોતાના શરતો રાખવાનો મોકો મળશે.
ભારતને ન બોલાવીને મોટી ભૂલ કરવામાં આવી: અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અતમરે કહ્યું કે, મૉસ્કોમાં થયેલી શાંતિ વાર્તામાં ભારતને ન બોલાવીને મોટી ભૂલ કરવામાં આવી છે. અમે આયોજકોને સ્પષ્ટ કરી દીધું હતું કે અમારા વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાનો કોઇ પણ પ્રયાસ ભારત વગર પૂર્ણ ન થઇ શકે. એટલા માટે વાર્તામાં શામેલ તમામ દેશોને રણનીતિક રીતે વિચારવું જોઇએ અને નક્કી કરવું જોઇએ કે ભારતના વિસ્તારમાં યોગદાન અને સદભાવને ગંભીરતાથી આપસી સહયોગમાં તબદીલ કરવામાં આવે.