કોરોનાકાળમાં ગુજરાત સરકારની કામગીરી અંગે સુઓમોટો મામલે 56 પેજનું રાજ્ય સોગંદનામું સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કર્યું રજૂ
કોરોના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી મામલો
રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું
56 પેજનું રાજ્ય સરકારનું સોગંદનામું
હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું છે. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. જેમાં સરકારે જણાવ્યું કે, RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારને 1 દિવસના 16,115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે.
સોગંદનામામાં અમદાવાદને એપ્રિલમાં 18,3257 રેમડેસિવિર ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. તો રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરી છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાના મુદ્દા
60 હજાર 176 ઓક્સીજન બેડ, 13 હજાર 875 ICU બેડ
રાજ્યમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ
ગામડામાં સંક્રમણ અટકવવા કર્યાં પ્રયાસ
સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યાનો ઉલ્લેખ
103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ
ગ્રામ્ય સ્તરે પણ RT-PCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો
રાજ્યમાં ઓક્સિજન પૂરતો પૂરતો જથ્થો મળી રહેશેઃ સરકાર
રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ કરી તૈયાર રહી છેઃ સરકાર
કેન્દ્ર સરકારે પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજીનો મામલે કેન્દ્ર સરકારે વધુ એક સોગંદનામું જાહેર કર્યું છે. સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછત ન પડે માટે પ્રયાસરત છીએ. રેમડેસિવિર સાથે અન્ય સુવિધાઓની પણ કામગીરી ચાલુ છે. નૌકાદળની ડોક્ટર ટીમના સભ્યોની પણ મદદ લેવાઇ રહી હોવાની વાત સોગંદનામામાં કરી છે.
કેન્દ્રએ જણાવ્યું કે, 2 નાઇટ્રોજન ટેન્કને ઓક્સિજન માટે ઉપયોગમાં લીધી છે. 1.64 લાખ લિટરની 2 નાઇટ્રોજન ટેંકનો ઉપયોગ હાલ કેન્દ્ર સરકાર ઓક્સિજન માટે કરી રહ્યું છે. નાઇટ્રોજન ટેંકને ઓક્સિજન ટાંકીમાં રૂપાંતરિત કરી દેવાઈ છે. મૈત્રીપૂર્ણ દેશોની પણ મદદ લેવાઇ રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 100 જેટલા PSA મેડિકલ ઓક્સિજન જનરેટ પ્રસ્થાપિત થશે. કેન્દ્રના એફિડેવિટ પર HCમાં આવતીકાલે સુનાવણી યોજાશે.