GPCBએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂકરેલા સોગંદનામાંમાં કહ્યું કે અમદાવાદનું વટવા, વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત અને રાજકોટ અતિ પ્રદૂષિત
GPCB એ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું
ભાવનગર, મોરબી અતિ પ્રદૂષિત હોવાનો GPCBનો સ્વીકાર
અમદાવાદનો વટવા અને ઓઢવ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત
ગુજરાત હાઈકોર્ટમાં વાયુ પ્રદૂષણ મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી જેમાં GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોર્ટેમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં GPCBએ ભાવનગર, મોરબી અતિ પ્રદૂષિત હોવાનો GPCBએ સ્વીકાર કર્યો છે.
GPCB એ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું
GPCBએ સોગંધનામામાં પ્રદૂષિત વિસ્તારનો સ્વીકાર કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત છે, તો આ સિવાય ભાવનગર,મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર પણ અતિ પ્રદૂષિત હોવાનું જણાવ્યું છે. આ સોગંદનામાં શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત 15 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવા મુદ્દે પણ ઉલ્લેખ થતો જોવા મળે છે. GPCBએ જણાવ્યુ હતું કે શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા એક્શન પ્લાન તૈયાર છે.
અમદાવાદનો વટવા અને ઓઢવ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત
મહત્વનું છે કે રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવાની માગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં GPCBએ આ વિગતો રજૂ કરી છે. અરજદારે અગાઉ શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી 4 ગણું વધારે હવાના પોલ્યુશન હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી. તો બીજી તરફ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુઅલ તરીકે વપરાતા ફરનેસ ઓઇલ અને કોલસાને તબક્કાવાર રીતે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું બંધ કરવા માટે સરકાર તૈયાર હોવાની વાત કહેવામાં આવી છે. રાજ્ય સરકારે 2025-26 સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં 35થી 50 ટકા સુધારો કરવા સરકાર મક્કમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર, સુરત, રાજકોટ, વાપી પણ પ્રદૂષિત શહેરો
GPCBના સોગંધનામામાં કહ્યું છે કે રાજકોટને આજથી દોઢ વરસ પહેલાં જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અતિ પ્રદૂષિત જાહેર કરી દીધું છે, જ્યારે અમદાવાદનો વટવા અને ઓઢવ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત હોવાની વાત સામે આવી છે. આ તરફ અમદાવાદની સાબરમતી નદી 120 કિ.મી સુધી મૃતપ્રાય બની ગઇ છે. કોર્પોરેશન અને GPCBએ પણ સ્વીકાર્યુ છે કે, નદીમાં પ્રદૂષણ ગંભીર કહી શકાય તેવી સ્થિતિએ છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થયું છે. જોકે અગાઉ નિષ્ણાતે કોર્ટને એવી ભલામણ કરી હતી કે સૌથી પહેલા કોર્પોરેશને આવા ઉધોગોને આપેલા મંજૂરી રદ કરવી જોઇએ જો કે હજુ સુધી કોઈ નક્ક પગલે લેવાયા નથી.