નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ આધાર સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનની મર્યાદા નક્કી કરી દીધી છે. હવે તમે આધારથી ચાલતી પેમેન્ટ સિસ્ટમથી નક્કી કરેલી સંખ્યામાં પૈસા કાઢી શકશો. ટ્રાન્જેક્શનની મર્યાદા પહેલેથી 50,000 રૂપિયા નક્કી કરી હતી અને ત્યારબાદ વધુ નિયમ જોડી દેવામાં આવ્યાં છે.
NPCI એ આધાર સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનની મર્યાદા નક્કી કરી દીધી
ગ્રાહકના હિસાબ પ્રમાણે મહત્તમ 5 કેશ વિડ્રોલ કરવાની સુવિધા આપશે
આધાર સાથે ચાલતા કોઈ ટર્મિનલ પર ગ્રાહક મહત્તમ 5 વખત પૈસા કાઢી શકશે
NPCI એ આધાર દ્વારા રોકડ ઉપાડની મર્યાદાને નક્કી કરી દીધી
કોરોનાકાળમાં આધાર સાથેના ટ્રાન્જેક્શનની સુવિધા ઝડપથી વધારી દીધી છે. કારણકે લોકોએ પોતાની રોકડ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે આધાર સાથે ચાલનારી મશીનો જેવી કે માઈક્રો એટીએમ અથવા પીઓએસ મશીન દ્વારા સરળતાથી પ્રાપ્ત કરવામાં આવે છે. NPCI એ આધાર દ્વારા રોકડ ઉપાડ અને મિની સ્ટેટમેન્ટ મેળવવાની મર્યાદાને નક્કી કરી દીધી છે. નવી ગાઈડલાઈન્સ મુજબ જે બેંક આધાર સાથે માઈક્રો એટીએમ અને પીઓએસ મશીન ચલાવે છે અને ગ્રાહકોને કેશ આપે છે. હવે તેમને દરરોજ પ્રત્યેક ગ્રાહકના હિસાબ પ્રમાણે મહત્તમ 5 કેશ વિડ્રોલ કરવાની સુવિધા આપશે. એટલેકે આધાર સાથે ચાલતા કોઈ ટર્મિનલ પર એક દિવસમાં કોઈ ગ્રાહક મહત્તમ 5 વખત પૈસા કાઢી શકશે.
5 રોકડ ઉપાડની સુવિધા
દરેક ગ્રાહકને દર મહિને ઓછામાં ઓછા 5 રોકડ ઉપાડની સુવિધા આપવામાં આવશે. આ રીતે દરેક ગ્રાહક એક મહિનામાં એટીએમ અને પીઓએસ મશીન દ્વારા ઓછામાં ઓછા 5 મિની સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરવાની સુવિધા મળશે. NPCI એ એક સર્ક્યુલરમાં કહ્યું છે કે તેની સાથે જોડાયેલો નિયમ 15 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો છે. ખરેખર, આ પ્રકારના ટ્રાન્જેક્શનના આધારે ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ અથવા AePS દ્વારા કરવામાં આવે છે. જેને એનપીસીઆઈએ તૈયાર કર્યો છે. એઈપીએસ એવી સિસ્ટમ છે, જે લોકોને તેના આધાર નંબર અને તેના ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેનની મદદથી વેરિફિકેશન કરે છે અને માઈક્રો એટીએઓમમાંથી પૈસા કાઢે છે.