દેશના જાણીતા વકીલ ઇંદિરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી કે તેઓ પોતાની દિકરીના દોષિતોને માફ કરી દે. જો કે વકીલની સલાહ પર નિર્ભયાના માતા-પિતાએ તેમના આ નિવેદન પર રોષ વ્યક્ત કર્યો છે.
નિર્ભયાની માતાને વકીલ ઇંદિરા જયસિંહની અપીલ
સોનિયા ગાંધીની જેમ દોષિતોને માફ કરવા અપીલ
નિર્ભયાના માતા-પિતાએ જયસિંહની સલાહ પર વ્યક્ત કરી નારાજગી
While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp
જાણીતા વકીલ ઇંદિરા જયસિંહે ટવિટ કરતાં કહ્યું કે હું નિર્ભયાના માતાનું દુઃખ પૂરી રીતે સમજુ છું. હું તેમને અપીલકરુ છું કે તેઓ સોનિયા ગાંધીના ઉદાહરણનું અનુસરણ કરે, જેઓએ નલીનિને માફ કરી દીધી હતી. ઇંદિરાએ કહ્યુ હતુ કે તેઓ તેમની માટે મોતની સજા નથી ઇચ્છતી.
Asha Devi: Can't believe how Indira Jaising even dared to suggest such this. I met her many times over the years in Supreme Court,not once she asked for my wellbeing& today she is speaking for convicts.Such ppl earn livelihood by supporting rapists,hence rape incidents don't stop https://t.co/Gjf02l9LT4pic.twitter.com/Rl3sMbppl5
જો કે વકીલ ઇંદિરા જયસિંહના ટવિટ બાદ નિર્ભયાના માતા આશા દેવીએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે ઇંદિરા જયસિંહ કોણ છે મને સલાહ આપનારા. નિર્ભયાના માતાએ કહ્યું કે સમગ્ર દેશ ઇચ્છે છે કે દોષિતોને ફાંસીની સજા મળે. ઇંદિરા જયસિંહ જેવા લોકોના કારણે જ દૂષ્કર્મ પીડિતાને ન્યાય મળતો નથી.