ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. સાલ્વે આવતા અઠવાડિયે બ્રિટનના એક ચર્ચમાં કૈરોલિન બ્રૉસર્ડ સાથે લગ્ન કરશે. હરીશ સાલ્વે અને કૈરોલિનના આ બીજા લગ્ન છે. તે પહેલાં હરીશ સાલ્વેએ મીનાક્ષી સાલ્વે સાથે લગ્ન કર્યા હતા. 38 વર્ષના લગ્નજીવનમાં તેમને 2 દીકરીઓ પણ છે.
હરીશ સાલ્વે 65 વર્ષની ઉંમરે કરશે બીજા લગ્ન
ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વકીલ છે હરીશ સાલ્વે
હરીશ સાલ્વે અને કૈરોલિનના આ બીજા લગ્ન છે
ગયા મહીને હરીશ સાલ્વે અને મીનાક્ષી સાલ્વેના છૂટાછેડા થયા છે. કૈરોલિન સાથે લગ્ન માટે હરીશ સાલ્વેએ પણ ધર્મ પરિવર્તન કર્યું છે અને ઈસાઈ બની ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર સાલ્વે છેલ્લા 2 વર્ષથી નિયમિત રીતે ઉત્તરી લંડનના ચર્ચમાં જતા હતા. કૈરોલિનના પણ એક વખત લગ્ન થઈ ચૂક્યા છે અને તેમની એક દીકરી છે. કૈરોલિન વ્યવસાયે કલાકાર છે અને 56 વર્ષના છે.
સાલ્વે કુલભૂષણ જાદવ સહિત અનેક આંતરરાષ્ટ્રિય કેસમાં ભારત સરકારની મદદ કરી ચૂક્યા છે, આ સિવાય દેશના નામી ઉદ્યોગપતિઓ અને કંપનીઓ જેમકે વોડાફોન, રિલાયંસ, મુકેશ અંબાણી વગેરે સાથે જોડાયેલા કેસ પણ લડી ચૂક્યા છે.
બ્રિટનની મહારાણીના વકીલ પણ રહી ચૂક્યા છે હરીશ સાલ્વે
બ્રિટન અને વેલ્સની કોર્ટે હરીશ સાલ્વેને ત્યાંની મહારાણીના વકીલ તરીકે પણ નિમાઈ ચૂક્યા છે. બ્રિટનના ન્યાય મંત્રાલયે 16 માર્ચ 2020માં તેમને આ નિયુક્તિ આપી હતી. જે વકીલોને વકાલતના સંચાલનમાં વિશેષ મહારથ હોય છે તેમને બ્રિટનની મહારાણીના વકીલ તરીકે નિમાય છે. હરીશ સાલ્વેએ એલએલબીનો અભ્યાસ નાગપુર વિશ્વ વિદ્યાલયથી 1980માં કર્યો. 1992માં હરીશ સાલ્વેને દિલ્હી ઉચ્ચ ન્યાયાલય દ્વારા અધિવક્તા નિમાયા. 1999-2002 સુધી ભારતના સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે.