રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. સરાજાહેરમાં હત્યા કરવામાં આવી છે.
રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મામલો
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઘટનાને વખોડી
પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઝડપી તપાસ માટે આપી સૂચના
રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. સરાજાહેરમાં હત્યા કરવામાં આવી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઘટનાને વખોડી કાઢી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઝડપી તપાસ માટે સૂચના આપી છે. મૃતક દેવજી મહેશ્વરીના પરિજનોને સાંત્વના આપી છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને BSPનું વિરોધ પ્રદર્શન
દેવજી મહેશ્વરીની હત્યા મામલે કચ્છના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને BSPનું વિરોધ પ્રદર્શન છે. રસ્તા ઉપર ટાયરો સળગાવીને રોષ વ્યકત કર્યો છે. માનકુવા, સુખપર, ગઢશીસામાં વિરોધ દર્શાવ્યો છે.
શું છે ઘટના?
કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ વકીલની ઓફિસમાં આવી છરી વડે હુમલો કર્યો હતો. વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાનું કારણ શોધવા અને હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈને લોકોએ રસ્તા પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.
કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?
કચ્છના રાપર વિસ્તારમાં વકીલ યુવકની હત્યા
રાપરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલની હત્યા
હત્યારાએ દેવજી મહેશ્વરીની ઓફિસ નજીક રેકી કરી હતી
હુમલાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી થઇ ગયો હતો ફરાર
હુમલા બાદ મોબાઇલ છોડીને ભાગ્યો હતો હત્યારો
હુમલાખોરે પાઉંભાજીની દુકાને મોબાઇલ ચાર્જિંગમાં મુક્યો હતો
દેવજી મહેશ્વરીની હત્યા બાદ કચ્છમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને બહુજન સમાજ દ્વારા વિરોધ