ઘણા રોગો એટલા ગંભીર હોય છે કે અમુક ટાઇમ પછી તેનો ઇલાજ કરવાની ડોક્કટર પણ ના પાડે છે અને તે રોગ વ્યક્તિને લઇને જાય છે. આજે અમે તમને જણાવશું ઘરમાં રોજ વપરાતા લસણ વિશે કે જે ઘણા ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે.
લસણમાં ઘણા મહત્વપૂર્ણ તત્વો રહેલા હોય છે જે શરીરને ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે. લસણના ફાયદા એટલા છે કે તેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. આ કારણે લસણને ઔષધિના રૂપમાં પણ જાણવામાં આવે છે. લસણથી આપણને અગણિત ફાયદા અને ગુણ પ્રાપ્ત થાય છે.
જાણો લસણથી થતા ફાયદા:
- લસણનું સેવન કરવામાં આવે તો એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર જેવા ગંભીર રોગોથી લડવામાં શરીરની સહાયતા કરે છે. ડોક્ટર સ્વાદુપિંડ કોલેસ્ટ્રોલ બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરમાં લસણને કાચું ખાવાની સલાહ આપે છે.
-જે વ્યક્તિના દાંતમાં દુઃખાવો છે તેમના માટે લસણનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. લસણમાં રહેલા એનાલ્જેસિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે દાંતનો દુઃખાવો દૂર કરવામાં સહાયતા કરે છે. જે વ્યક્તિઓને દાંતનો દુઃખાવો છે તેમણે દુઃખાવો થવા પર દાંત અને આસપાસના ગમ્સ(મસૂડા) પર લસણના તેલથી માલિશ કરો. લસણનું તેલ બજારમાં સરળતાથી મળી જાય છે જો તમારી પાસે લસણનું તેલ નથી તો લસણ પીસીને એની પેસ્ટ બનાવીને પણ દાંત પર લગાવી શકો છો.
- જો તમે લસણનું સેવન કરો છો તો તમને વધારે ફાયદા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિઓનું લોહી જાડું થઈ ગયું હોય અને તે લસણનું સેવન કરે તો તે બ્લડ ક્લોટિંગને રોકે છે અને લોહીને પાતળું કરવામાં સહાયતા કરે છે. લોહીનો પ્રવાહ પણ સારી રીતે થાય છે.
- જે વ્યક્તિ અપચાની સમસ્યાથી પરેશાન છે તેમણે એક કળી લસણ ૨ દાણા કાળું મરચું અને બે ચપટી જીરું ભેળવી એની ચટણી તૈયાર કરો અને એનું ધીરે-ધીરે સેવન કરો. જો તમે આવું કરો છો તો એનાથી અપચાની સમસ્યા દૂર થાય છે.
- ઠંડીના દિવસોમાં ગાજર આદુ અને લસણનું જ્યૂસ બનાવી પીવાથી શરીરને એન્ટિબાયોટિક્સ પ્રાપ્ત થાય છે જેના કારણે વ્યક્તિને ઘણી ઓછી ઠંડી લાગે છે.
- જે વ્યક્તિઓને પેટમાં દુઃખાવાની સમસ્યા છે તો લસણ ૨ ચપટી સૂંઠ અડધી ચપટી કાળું મીઠું એન ૨ દાણા હિંગ આ બધાને મિક્સ કરીને સેવન કરો જો તમે એવું કરો છો તો તમારો પેટનો દુઃખાવો દૂર થઈ જાય છે