લોકસભા ચૂંટણીનો ત્રીજો તબ[ાો આજે સમાપ્ત થયો એ સાથે ગુજરાતની લોકસભાની છવ્વીસેય બેઠકો પર ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થઈ ગયું. જો કે લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ ત્રણ દાયકા બાદ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વિના જ મેદાનમાં ઉતર્યો છે.1989થી ગાંધીનગરને ભાજપની પરંપરાગત સીટ તરીકે પ્રસ્થાપિત કરી ચૂકેલા લાલ કૃષ્ણ અડવાણીની જગ્યાએ હવે અમિતશાહે કમાન સંભાળી લીધી છે. આજે બીજેપીમાં વજન અને કદ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્થાપિત થઈ ગયેલા નેતા અમિતશાહે નારણપુરમાં મતદાન મતદાન કર્યું તો લાલ કૃષ્ણ અડવાણીએ સામાન્ય મતદારની જેમ શાહપુર સ્થિત હિંદી સ્કૂલમાંથી મતદાન કર્યું...જોઈએ આથમતા અને ઉગતા સૂરજનો આ અહેવાલ...