એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) તરફથી જાહેર કરવામાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે મતદારો માટે રોજગાર સૌથી મોટો મુદ્દો રહ્યો છે.
મતદાર ઇચ્છે છે કે સરકાર રોજગારના વધુ સારી તક, સ્વાસ્થ્ય સુવિધાઓ અને પીવાના પાણી જેવા ત્રણ મુખ્ય મુદ્દા પર કાર્ય કરે. નેશનલ ઇલેક્શન વૉચ, એડીઆરના સંસ્થાપક સભ્ય જગદીપ છોકરે કહ્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કરવામાં આવેલા સર્વે અનુસાર સરકારના પ્રદર્શનનને સરેરાશથી નીચે બતાવવામાં આવ્યું છે.
આ સર્વેમાં રાષ્ટ્રીય સુરક્ષા કોઇ મુદ્દો હતો કે નહીં, એ પૂછવા પર નેશનલ ઇલેક્શન વૉચ, એડીઆરના સંસ્થાપક સભ્ય જગદીપ છોકરે કહ્યું, 'આતંકવાદ લીસ્ટમાં સામેલ 31 મુદ્દામાંથી એક મુદ્દો હતો, જે સર્વેમાં 30માં ક્રમાંકે રહ્યો હતો.'
આ સર્વેક્ષણ અનુસાર, મતદારોએ રોજગારની વધુ સારી તક (46.80 %), સ્વાસ્થ્ય સેવાઓ (34.60 %), પીવાનું પાણી (30.50 %), સારા રસ્તા (28.34 %) અને વધુ સારુ વાહનવ્યવહાર (27.35 %) પ્રાથમિકતા આપી છે. જોકે આ સર્વેક્ષણ બાલાકોટ એર સ્ટ્રાઇક પહેલા કરવામાં આવ્યો તેથી બાલાકોટ એર સ્ટ્રાઇક અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા તેમા સામેલ નહોતા.
આ સર્વેમાં 534 લોકસભા બેઠક વિસ્તારને સામેલ કરવામાં આવ્યા હતા. તેમા 273487 મતદારોએ ભાગ લીધો હતો.