પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રિટાયર કર્મચારીઓ દ્વારા દત્તક લીધેલી દિકરીને ફેમિલી પેન્શન આપવાની ના પાડતા હરિયાણા સરકારના નિર્ણયને ખોટો સાબિત કરતા રદ કરી દીધો હતો.
પંજાબ & હરિયાણા હાઈકોર્ટનો મોટો ચુકાદો
રિટાયરમેંટ બાદ દત્તક લેવાયેલા સંતાન પણ ફેમિલી પેન્શન માટે હકદાર
હરિયાણા સરકારને લાગ્યો મોટો ઝટકો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રિટાયર કર્મચારીઓ દ્વારા દત્તક લીધેલી દિકરીને ફેમિલી પેન્શન આપવાની ના પાડતા હરિયાણા સરકારના નિર્ણયને ખોટો સાબિત કરતા રદ કરી દીધો હતો. હાઈકોર્ટે જ્યારે સરકારને 2006માં પિતાના મોતની તિથિથી ફેમિલી પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો. અરજી દાખલ કરતા યમુનાનગર નિવાસી રાજબાલાએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ગુગ્ગુ રામ PWDમાં નોકરી કરી રહ્યા હતા.
હરિયાણા સરકારે પેન્શન આપવાની ના પાડી દીધી હતી
1993માં તેઓ રિટાયર થયા હતા અને તેમને કોઈ સંતાન નહોતું. ત્યાર બાદ તેમણે અરજીકર્તાને 1995માં દત્તક લીધું અને તેમના દસ્તાવેજ તૈયાર કરાવ્યા, અરજીકર્તાએ જણાવ્યું હતું કે, 2006માં તેમના પિતાનું નિધન થઈ ગયું અને 2017માં અરજીકર્તાએ ફેમિલી પેન્શન માટે અરજી કરી હતી. ફેમિલી પેન્શનમાંથી એવું કહીને ના પાડી દીધી હતી કે, અરજી કર્તાને તેના પિતાએ રિટાયરમેંટ બાદ દત્તક લીધી હતી. તેથી તે પેન્શન માટે હકદાર નથી.
હાઈકોર્ટે કહી આ મોટી વાત
હાઈકોર્ટે કહ્યું કે, રિટાયરમેંટ પહેલા અથવા પછી દત્તક લીધેલા બાળકો સાથે ભેદભાવ કરવો સંવિધાન વિરુદ્ધ છે. જો આવું કરવામાં આવ્યું તો, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરતા બાળકના પરિવારની વ્યાખ્યાથી બહાર કરવા જેવું થઈ જશે. હાઈકોર્ટે કહ્યું કે, અરજીકર્તા મૃતક પિતાની કાયદાકીય દિકરી છે અને ત્યારે આવા સમયે ફેમિલી પેન્શન માટે સમગ્રપણે પાત્ર છે.
હાઈકોર્ટે હવે હરિયાણા સરકારને આદેશ આપ્યો છે કે, અરજીકર્તાના પિતાના મૃત્યુની તારીખથી લઈને તેને ફેમિલી પેન્શનના અટવાયેલી રકમ આપવામાં આવે. હાઈકોર્ટે અરજીકર્તાના પિતાના મોતના 11 વર્ષ બાદ ફેમિલી પેન્શન માટે અરજી કરી છે, તેથી તે આ સમયે પેન્શનના વ્યાજ માટે હકદાર નથી.