જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નિયમિત રીતે પૂજા-આરતી કરીને ધૂપ કે દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે
નિયમિત રીતે ધૂપ કે દીવો પ્રગટાવવામાં આવે તો બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય
દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આરતી સમયએ ધૂપ-દીવો પ્રગટાવવો
ઘરમાં સુખ-શાંતિ બની રહે છે
આપણા હિંદુ ધર્મમાં પૂજા અને આરતીનું ઘણું ખૂબ મહત્વ છે. અને આપણે બધા દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આરતી સમયએ ધૂપ-દીપ પ્રગટાવીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નિયમિત રીતે પૂજા-આરતી કરીને ધૂપ કે દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
- જો ઘરમાં કોઈએ તંત્ર-મંત્ર કરી દીધું હોય તો ઘરમાં હંમેશા કલેશની સ્થિતિ બની રહે છે અને એ સિવાય ઘરમાં પૈસા રહેતા નથી. જો આવી સ્થિતિ બનીને રહે તો જાવિત્રી, ગાયત્રી અને કેસરને એકસાથે મિક્સ કરીને તેમાં ગૂગ્ગલ ઉમેરો અને આ મિશ્રણની ધૂપને 21 દિવસ સુધી દરરોજ સાંજે સળગાવો. આ ટોટકો કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
- એક વાસણમાં લોબાન સળગાવો અને જ્યારે લોબાન સળગી જાય એ પછી તેના ધુમાડાને ઘરના દરેક ખૂણામાં ફેરવો. આ ટોટકો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
- ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પીળી સરસવ, ગુગ્ગલ, લોબાન અને ગૌઘૃતને એકસાથે ભેળવીને ધૂપ કરો. આ ટોટકો સતત 21 દિવસ સુધી કરો.
- ઘરમાં ગુરુવાર અને રવિવારે લોબાન, ગોળ અને ઘીને મિક્સ કરીને સળગાવો. જણાવી દઈએ કે તેમાંથી નીકળતા ધુમાડાથી ઘરમાં ખુશીઓ આવે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.
- ઘરમાં લોબાન, ગુગલ, કપૂર, ઘી અને ચંદન એકસાથે સળગાવો અને તેના ધુમાડો ઘરની ચારે બાજુ ફેલાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.