માતા લક્ષ્મી ધન, વૈભવ અને યશની દેવી છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે રોજ એક કામ કરશો તો જીવનભર ખુશીઓ સાથ નહી છોડે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાય
ઘરમાંથી દુર થઇ જશે દરિદ્રતા
સાંજના સમયે તુલસીના છોડમાં કરો દિવો
જે લોકો પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે તે લોકો ખુશહાલ જીવન વ્યતિત કરે છે. તેમના જીવનમાં કોઇ પણ પ્રકારની અછત રહેતી નથી. એવા લોકોને સમાજમાં પણ સન્માન પ્રાપ્ત થાય છે.
જો તમારા ઘરમાં આર્થિક તંગી હોય તો એક એવો ઉપાય છે જેના બાદ તમારા ઘર પર લક્ષ્મીજીની કૃપા વરસી પડશે. હિન્દુ ધર્મમાં સુર્યોદય અને સુર્યાસ્તને પુજાનો સમય માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ સમયે પૂજા પાઠ કરવાથી શુભ ફળ મળે છે. આર્થિક પરેશાનીઓ દૂર કરવા માટે તમારે સંધ્યાના સમયે કામ કરવુ પડશે.
સંધ્યાના સમયે તુલસીના છોડમાં ગાયના શુદ્ધ ઘીનો દિવો કરો. તુલસીની પરિક્રમા કરો એને જો તમે નિયમિત રૂપથી આ કામ કરશો તો લક્ષ્મીજી પ્રસન્ન થઇને તમારા પર કૃપા વરસાવશે. તમારી આર્થિક સમસ્યાઓ હંમેશા માટે દૂર થઇ જશે.
તમને જણાવી દઇએ કે તુલસીના છોડને હિન્દુ ધર્મને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિપ્રિય છે. હિન્દુ માન્યતા અનુસાર જે ઘરમાં તુલસીના છોડની પ્રતિદિન પૂજા થાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.