પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને પદ્મશ્રી સન્માન મળ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, પાકિસ્તાની એરફોર્સમાં પાયલોટ રહી ચૂકેલા અદનાન સામીના પિતા અરશદ સામી ખાને 1965ની લડાઇમાં ભારત વિરૂદ્ધ જંગ છેડ્યો હતો અને ભારત પર બોમ્બમારો પણ કર્યો. જેના કારણે દેશમાં ઘણું નુકસાન પણ થયું હતું.
પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને પદ્મશ્રી મળ્યા બાદ વિવાદ
અદનાનના પિતા પાકિસ્તાની એરફોર્સમાં ફરજ બજાવતા હતા
ભારતીય વિમાન પણ તોડી પાડ્યા હોવાનો દાવો
ત્યારે આ શખ્સના દીકરાને પદ્મશ્રીથી નવાજવામાં આવે એ તે દેશનું અપમાન છે. જો કે, દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે, અરશદ સામી ખાને ભારતના લડાકૂ વિમાન પણ તોડી પાડ્યું હતું.
અફઘાનિસ્તાનથી આવ્યા હતા પાકિસ્તાન
અરશદ સામી ખાનનો જન્મ 1942માં એક પશ્તૂન પરિવારમાં થયો હતો. તેમના પિતા જનરલ મહેફુઝ ખાન મૂળ અફઘાનિસ્તાનના રહેવાસી હતી અને કિંગ અમાનુલ્લાહ ખાનના કાર્યકાળ દરમિયાન ગવર્નર પણ રહ ચૂક્યા હતા.
ટાઇમ્સ ઓફ ઇસ્લામાબાદના એક અહેવાલ મુજબ, અદનાન સામીના પિતા અરશદ સામી ખાને પાકિસ્તાની એરફોર્સમાં પાયલોટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1965ની જંગમાં ભારત વિરૂદ્ધ કેટલાય મિશન હાથ ધર્યા હતા.
1965ના જંગમાં શું હતી ભૂમિકા ?
ધ વીકે પાકિસ્તાની એરફોર્મ મ્યૂઝિયમની વેબસાઇટનો હવાલો આપતા લખ્યું કે, અરશદ સામી ખાને ભારત સાથેના યુદ્ધ દરમિયાન મોટાભાગે કોમ્બેટ મિશનને અંજામ આપ્યો છે. તેમનું સાહસ અન્ય પાયલોટ માટે ઉદાહરણ સમાન હતું. તેમણે ભારત વિરૂદ્ધ 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો. કહેવામાં આવે છે કે તેમણે આ યુદ્ધમાં ભારતના એક લડાકુ વિમાન, 15 ટેન્ક અને 12 વાહનોને નષ્ટ કર્યા હતા.
ભારતમાં થયું મોત
અરશદ સામી ખાને ત્યારબાદ પાકિસ્તાનના 3 રાષ્ટ્રપતિઓ સાથે કામ કર્યું અને તેમણે રાજદૂત તરીકે પોતાની ફરજ બજાવી હતી. આ દરમિયાન તેમને કેન્સર થયું અને 67 વર્ષની વયે તેમનું નિધન 22 જૂન 2009માં થયુ.