બોલીવુડ સિંગર અદનાન સામીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે દિલ્હી હિંસા મામલે ન રમો ગંદુ રાજકારણ, હિંસા પર રાજનીતિ ન થવી જોઇએ. નર્મદાના કેવડિયા ખાતે આયોજિત ઇન્ડિયા આઇડિયાઝ કોનક્લેવ 2020માં પરિવાર સાથે સિંગર અદનાન સામી હાજર રહ્યાં હતા.
દિલ્હીમાં પોલિટિક્સ થઈ રહ્યું છે જે બંધ થવું જોઈએઃ અદનાન
હવે અમન અને શાંતિ રાખો હું હાથ જોડું છુંઃ અદનાન
વિરોધ કરતા લોકોને અદનાન સામીએ વિનંતી કરી હતી
અદનાન સામીએ કહ્યું કે દિલ્હીમાં ગંદુ રાજકારણ રમાઇ રહ્યું છે. સાથે જ તેમણે વિરોધ કરી રહેલા લોકોને હાથ જોડીને અમન અને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસાથી કોઇ ઉકેલ નથી આવતો એટલે આપણે બધાએ એક થઇ ભારતને એક કરવા મહેનત કરવી જોઈએ.
CAAને લઇને તમારૂ શું માનવું છે?
જ્યારે અદનાન સામીને પૂછવામાં આવ્યું કે આમિર ખાન કહે છે કે તેઓ ભારતમાં સુરક્ષિત અનુભવ નથી કરતા, શું તમે સુરક્ષિત અનુભવો છો અને CAAને લઇને તમારું શું માનવું છે? જેના જવાબમાં અદનાને કહ્યું કે, નાગરિકાત સંશોધન કાયદો તે લોકો માટે છે જે ભારતમાં નાગરિકતા ઇચ્છે છે, આ ભારતીયો માટે નથી. મુસ્લિમ હોવાથી ભારતમાં સુરક્ષિત અનુભવ કરું છું.
અદનાને કર્યું CAAનું સમર્થન
આ પહેલા અદનાન સામીએ (adnan sami) CAAનું સમર્થન કરતા કહ્યું હતું કે હું એ જરૂર કહી શકું છું કે મે પોતાની આંખોથી જોયું છે કે ત્યાં અલ્પસંખ્યકોને કઇ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી છે. મે ઇસ્લામાબાદમાં જોયું છે કે કઇ રીતે ત્યાં સોસાયટી બે વિભાગોમાં વહેંચાયેલી છે. હું એક સેક્ટરમાં હતો જ્યાં મે જોયું કે સોસાયટીની સામેની તરફ સ્લમ હતું. મે કોઇને પૂછ્યું કે સોસાયટીની સામેની પાર કોણ રહે છે તો મને જણાવાયું કે ક્રિશ્યન કોમ્યુનિટીના લોકો રહે છે.
મારા માટે ઘણું દુઃખ હતું. તેઓ વિનમ્ર ફેમિલીથી આવે છે. તેમને યોગ્ય સન્માન અને આઝાદી ન મળવી જેને લોકો એન્જોય કરે છે. હું ખુશ છું કે CAAના આવવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લોકોને મદદ મળશે.
ભારતીયોએ મને સફળ બનાવ્યો
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારતના લોકોથી એટલો પ્રેમ મળ્યો અને હુ આજે ઇન્ડિયામાં સક્સેસ છું. જે ભારતીયોએ આજે સફળ બનાવ્યો. ખરેખર ભારત એક છે અને ભારતને એક કરવા આપણે બધાએ એક થવા મહેનત કરવી જોઈએ.
આ સાથે મીડિયા સાથે વાત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અમેઝિંગ ગણાવી દુનિયાની અજાયબી ગણાવી હતી. મહત્વનું છે કે સિંગરને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાશે.