એડમિરલ આર.હરીકુમારે મંગળવારે ઈન્ડીયન નેવીના નવા પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. આ પ્રસંગે દેશને ભારતીય સંસ્કારની ઝલક જોવા મળી.
એડમિરલ હરીકુમાર બન્યા ઈન્ડીયન નેવીના નવા પ્રમુખ
હોદ્દો સંભાળતી વખતે હરીકુમાર માતાને ન ભૂલ્યા
પગે પડીને આશીર્વાદ લીધા
ભારતીય સંસ્કારની ઝલક જોવા મળી
ઈન્ડીયન નેવીના નવા ચીફનો હોદ્દો સંભાળતી વખતે એડમિરલ હરીકુમાર ભાવુક થયા હતા અને માતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા. માતાએ પણ પુત્રને ગળે લગાડીને અભિનંદન આપ્યાં હતા.
નાનો હોદ્દો મળી જતા માતાને ભૂલી જનાર લોકોએ આ પ્રસંગમાંથી બોધપાઠ લેવાની જરુર
નાનો હોદ્દો મળી જતા માતાને ભૂલી જનાર લોકોએ આ પ્રસંગમાંથી બોધપાઠ લેવાની જરુર છે. એડમિરલ હરીકુમારે ઈન્ડીયન નેવીના ચીફનો કાર્યભાર ગ્રહણ કરી લીધો છે. નવી દિલ્હીના નોર્થ બ્લોકમાં આયોજિત કાર્યક્રમમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર ખાસ હાજર હતો. પદભાર ગ્રહણ કર્યા બાદ એડમિરલ હરીકુમાર ભાવુક બન્યા અને સૌથી પહેલા માતા પાસે પહોંચીને તેમના ચરણસ્પર્શ કર્યાં અને તેમના આર્શીવાદ લીધા. માતાએ પણ ખૂબ આર્શીવાદ આપીને તેમને ગળે લગાડ્યાં.
આ પ્રસંગનો એક વીડિયો પણ જારી કરાયો
#WATCH Admiral R Hari Kumar takes blessings from his mother on taking charge as the new Chief of Naval Staff today pic.twitter.com/v6hsuhAhIG
આ પ્રસંગનો એક વીડિયો પણ જારી કરાયો છે જેમાં એડમિરલ કુમાર માતાના ચરણસ્પર્શ કરીને આર્શીવાદ લેતા દેખાઈ રહ્યાં છે. નેવી ચીફને સાઉથ બ્લોક લોનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે કુમારે કહ્યું હતું કે, એડમિરલ કરમબીર સિંહ દેશની 41 વર્ષની સેવા બાદ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. અમે તેમના નેતૃત્વ અને માર્ગદર્શન માટે આભારી છીએ. ભારતીય નૌકાદળ હંમેશા તેમના આભારી રહેશે.
વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી
1983 માં ઈન્ડીયન નેવીમાં જોડાયેલા એડમિરલ કુમારે નેવીની કમાન સંભાળતા પહેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. 12 એપ્રિલ, 1962ના રોજ જન્મેલા એડમિરલ કુમાર 1 જાન્યુઆરી, 1983ના રોજ ઈન્ડીયન નેવીમાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની તેમની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન એડમિરલ કુમારે વિવિધ કમાન્ડ અને સ્ટાફમાં સેવા આપી છે.
જેમાં કોસ્ટગાર્ડ શિપ સી-01, નિશાંક, કોરા, રણવીર અને એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિરાટ જેવા જહાજોનો સમાવેશ થાય છે, જેમાં ભારતીય નૌકાદળના જહાજોની કમાન છે.કરમબીર સિંહનું કહેવું છે કે 30 મહિના સુધી નેવી ચીફ બનવું ગર્વની વાત છે નેવીના પૂર્વ ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે, "છેલ્લા 30 મહિનાથી ભારતીય નૌકાદળના વડા તરીકે કામ કરવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. દરમિયાન, કોવિડ રોગચાળા દરમિયાન દેશ અને નૌકાદળને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો છે. નૌકાદળે આ મુશ્કેલ સમયમાં શ્રેષ્ઠ અભિનય કર્યો.