આદિવાસી આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યુ છે. ધારાસભ્ય મંગળ ગાવિતે ગઈ કાલે તીરકામઠા લઈને લડી લો અને ગાંધીનગર સુધી પહોંચો તેવી હાકલ કરી હતી જેને પરિણામે આજે મહેસાણા, નર્મદા, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાંથી આદિવાસીઓ દોડી આવ્યા હતા.
આદિજાતિના પ્રમાણપત્રનો મામલો
મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચ્યા
મહેસાણા, છોટાઉદેપુર, સુરત, નર્મદામાંથી આંદોલનકારીઓ આવ્યા
બોગસ પ્રમાણપત્રને લઈને ચાલી રહ્યો છે વિવાદ
આદિવાસી જાતિના પ્રમાણપત્રનો મામલે વિરોધ યથાવત છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ધરણા કરી રહ્યો છે. આજે મહેસાણા છોટાઉદેપુર, સુરત,દહોદ, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આંદોલનકારી પહોંચ્યા હતા.
આદિવાસી જાતિના અધિકારોનું હનન થાય છે
નોંધનિય છે કે, ચારણ, ભરવાડ, રબારીને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપાતા આદિવાસી સમાજના લોકોએ આ મુ્દ્દાનો વિરોધ કરી રહ્યાં છે અને આ પ્રમાણપત્રને રદ્દ કરવા માટે માંગણી કરી રહ્યાં છે. આદિવાસી સમાજનું કહેવું છે કે, આ રીતે અન્ય જાતિને આદિવાસી જાતિના પ્રમાણ પત્ર આપવાથી આદિવાસી જાતિના અધિકારોનું હનન થાય છે.
શું કહે છે આદિજાતી મંત્રી ગણપત વસાવા?
જો કે આ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગીરમાં વસવાટ કરતા ચારણ, ભરવાડ, રબારી આદિવાસી છે. 1956માં આદિવાસીમાં સમાવેશ અંગેના પુરાવા છે.
શું કહ્યુ હતુ ધારાસભ્ય મંગળ ગાવિતે?
આદિવાસી સમાજના ધારાસભ્ય મંગળ ગાવિતે વિવાદિત નિવેદન કરીને વિરોધમાં વિવાદના બીજ રોપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા આદિવાસી સમાજેના સંબોધતા તીર કામઠા લઇને સરકારની નિતી સામે લડવા જણાવ્યું હતું. નોંધનિય છે કે, ચારણ ભરવાડને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપતાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે
ખોટા પ્રમાણપત્રનો મુદ્દો શું છે ?
1956માં રાષ્ટ્રપતિએ રબારી- ભરવાડ,ચારણને અનુસૂચિત જનજાતિનો આપ્યો દરજ્જો
અનુસૂચિત જનજાતિમાં કોઇને પણ સામેલ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ ને છે
ગુજરાત સરકાર દ્વારા ઠરાવ પસાર કરાયો
રબારી, ભરવાડ,ચારણને અનુસૂચિત જનજાતિનો અપાયો દરજ્જો
આ ઠરાવનો નેસના આદિવાસી કરી રહ્યાં છે વિરોધ
આદિવાસીનો વિરોધ કેમ?
1956માં રબારી- ભરવાડ અને ચારણને સમાવવાની ન હતી જોગવાઇ
આ કારણથી તેમને 1956માં અનુસૂચિત જનજાતિનો મળ્યો હતો દરજ્જો
આજના સમયે રબારી, ભરવાડ, ચારણને સમાવવા માટે OBCની છે જોગવાઈ
શા માટે રાજ્ય સરકાર અન્ય જાતિને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની કરે છે લ્હાણી?