આદિત્ય ઠાકરે કહ્યું, આ નિર્ણયથી આવક અને રોજગારી વધારવામાં મદદ મળશે
તેઓએ કહ્યું, હવે પોલીસ પ્રેશર વિના કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં ધ્યાન કેન્દ્રીત કરી શકશે
તેઓએ કહ્યું કે, હાલ મુંબઇના સેવા ક્ષેત્રમાં પાંચ લાખ લોકો કામ કરી રહ્યા છે. તેઓેએ સ્પષ્ટતા કરી કે, મોલ અને ખાવા-પીવાની દુકાનોને રાત્રે ખોલવી અનિવાર્ય નથી. જે લોકો માને છે કે, આખી રાત દુકાનોને ખુલ્લી રાખવાથી વધુ સારો વેપાર થશે, તેમણે જ આના પર અમલ કરશે.
રાજ્ય સરકારના નિર્ણય મુજબ, પહેલા ચરણમાં દુકાનો, રેસ્ટોરન્ટ, બિન રહેણાક વિસ્તારોમાં સ્થિત મોલ અને મિલ પરિસરોના થિયેટરને આખી રાત ખુલ્લા રાખવાની મંજૂરી હશે. શિવસેના નેતાએ કહ્યું કે, બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્ષ અને એનસીપીએની નજીક નરીમન પોઇન્ટના રસ્તાઓ પર ખાવાની દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવશે અને ફૂડ ઇન્સ્પેક્ટર તેમના પર નજર રાખશે. તેઓએ કહ્યું કે, પોલીસ પર એ દબાણ નહીં બને કે તેઓ મોડી રાત્રે દોઢ વાગ્યા એ સુનિશ્ચિત કરશે કે દુકાનો બંધ છે કે નહીં.
આદિત્ય ઠાકરે આગળ કહ્યું કે, તેની જગ્યાએ હવે તેઓ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં ધ્યાન કેન્દ્રીત કરી શકશે. તેઓએ કહ્યું કે, આ નિર્ણય લેતા સમયે આબકારી નિયમોમાં કોઇ ફેરફાર નથી કરાયો અને પબ અને બાર પહેલાની જેમ રાત્રે દોઢ વાગ્યે જ બંધ થશે.
તેઓએ કહ્યું કે, લોકો હવે રાત્રીના સમયે પણ ખાઇ શકશે, ખરીદી કરી શકશે અને ફિલ્મો જોઇ શકશે. તેઓએ કહ્યું કે, મુંબઇ 24 કલાક અને સાતેય દિવસ ચાલુ રહે છે. જોકે આ દરમિયાન તેઓે કહ્યું કે, મોલ અને મિલ પરિસરમાં સુરક્ષા અને સીસીટીવીની વ્યવસ્થા હશે અને તમામે લાઇસન્સ લેવુ પડશે.