રાજનીતિમાં કોઇપણ પદ ન લેવાની પરંપરા ઠાકરે પરિવારમાં લાંબા સમયથી ચાલી રહી છે. કારણ માત્ર એ જ છે કે, બાળા સાહેબ અને ઉધ્ધવ ઠાકરેએ કોઇ રાજકીય પદ સંભાળ્યું નથી. બાળા સાહેબ ઠાકરે પણ ક્યારેય ચૂંટણી લડ્યા નહીં અને ન રાજકીય પદ પર આસન ગ્રહણ કર્યું. પરંતુ લાગે છે હવે આ પરંપરા તૂટી જવાની છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે હવે આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રની કમાન સંભાળવી જોઇએ. રાઉતના જણાવ્યા અનુસાર, આ શિવેસેનાની મુખ્યમંત્રી પદ પર યાત્રા શરૂઆત થશે. સંજય રાઉતે મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન આ વાત કહીં હતી.
આપને જણાવી દઇએ કે, ગુરૂવારે પોતાની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી છે. તેમણે પોતાને આક્રમક રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવ્યા નથી પરંતુ સંજય રાઉતના ભાષણ દરમિયાન શિવસેનાની રાજનીતિનો ઉદેશ્ય સ્પષ્ટ થઇ ગયો છે.
શું બોલ્યા આદિત્ય ઠાકરે
પોતાના ભાષણ દરમિયાન આદિત્ય ઠાકરેઓ ત્યાં હાજર તમામ લોકોને પોતાના ભાષણ થકી લોભાવવાની પૂર્ણ કોશિસ કરી. તેમણે કહ્યું- હું અહીં કાંઇ જ પ્રાપ્ત કરવા આવ્યો નથી. હું અહીં તમારા આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. મારા દાદા અને પિતાએ મને શીખવાડ્યું છે કે મને મારે તમારો પ્રેમ અને આશિર્વાદ પ્રાપ્ત કરવાના છે.
ચૂંટણી જીતી લીધા બાદ કોઇપણ આશિર્વાદ લેવા પરત નથી આવતું પરંતુ તે લોકોને ધન્યવાદ આપવા આવ્યો છું જેમણે અમને મત આપ્યા છે અને તેઓને મનાવવા પણ આવ્યો છું જેમણે અમને મત આપ્યો નથી. તેણે વધુમાં કહ્યું કે, લોકો ચાર ધામની યાત્રા કરે છે, મારા માટે આ તીર્થયાત્રા છે.
કેમ થયું ઉત્તર મહારાષ્ટ્રની પસંદગી
યાત્રાના બીજા દિવસે આદિત્ય ઠાકરે રેલી ધુલીમાં છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેની આ રેલીની શરૂઆત મહારાષ્ટ્રના ઉત્તરી હિસ્સાથી કરવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે કેટલાક સમયથી પાર્ટીનું આ વિસ્તારમાં વર્ચસ્વ ઘટ્યું છે. યાત્રાના પ્રથમ ચરણમાં પાંચ જિલ્લામાં આદિત્યની રેલી થશે. યાત્રાનું પ્રથમ ચરણ 22 જુલાઇના રોજ સમાપ્ત થઇ રહી છે.