પોતાના પરિવારની પરેશાનીને લઈને એક્ટર આદિત્ય પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, છેલ્લા એક-દોઢ મહિનાથી તેના પરિવારે ઘણું બધું સહન કર્યું છે. તેણે જણાવ્યું કે, એક મૂર્ખ છોકરાએ પોસ્ટ કરી અને આખું મીડિયા આ અંગે વાત કરવા લાગ્યું. આ વાત નવી નથી. દરેક વ્યક્તિએ જવાબદાર બનવું જોઈએ, અમને બધાંને તેના કારણે ખૂબ પીડામાંથી પસાર થવું પડ્યું છે.
સુશાંતના કેસ સાથે કનેક્શન હોવાના આરોપથી પરેશાન આ એક્ટર
કંગનાને લીધી આડેહાથ
આદિત્ય પંચોલીએ કહ્યું- મારો પરિવાર પરેશાન થઈ ગયો છે
આદિત્ય પંચોલીએ આગળ કહ્યું- હું સોશિયલ મીડિયા પર નથી, પરંતુ લોકો સૂરજ (આદિત્યનો દિકરો)ને ટ્રોલ કરી રહ્યાં છે. કહી રહ્યાં છે કે, તૂ ખૂની છે. આ કારણથી સૂરજને તેનું કમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું છે. આદિત્યએ કહ્યું- શું કોઈને પાસે આ વાતના પુરાવા છે? નથી તો આ વાત સાચી નથી, આ તો જંગલ રાજ છે.
કંગના રનૌત વિશે આદિત્ય પંચોલીએ કહ્યું, જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે. શું કહી શકાય આવી સ્ત્રી વિશે, અમે તેના પર માનહાનિનો કેસ પર કર્યો છે. તેણે તો મારા અને મારા પરિવાર વિશે કંઈ કહેવું જ ન જોઈએ. સાથે જ આદિત્યએ પૂછ્યું કયા નેપોટિઝ્મ વિશે કંગના હમેશાં વાત કરતી રહે છે, એ પણ જાણવા માંગે છે.
આદિત્યએ આગળ કહ્યું- કંગનાએ ઈન્ડસ્ટ્રીની પડખે ઊભું રહેવું જોઈએ. આખરે કંગનાને ઈન્ડસ્ટ્રીથી શું પ્રોબ્લેમ છે. તેને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો, તેને એવોર્ડ્સ મળ્યા, ભેટ મળી. કંગના કહે છે કે જો હું ખોટી સાબિત થઈ તો મારો પદ્મશ્રી એવોર્ડ પાછો આપી દઈશ. તો તેને કહો કે એવોર્ડ પાછો આપી દે, કારણ કે તે ખોટી છે, કારણ કે સુશાંતના પિતાએ પટનામાં જે કેસ કર્યો છે તેમાં ક્યાંય નેપોટિઝ્મ વિશે કંઈ જ કહ્યું નથી. સુશાંતના પિતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, સેક્શન 360 રિયા ચક્રવર્તી પર છે. જ્યારે કંગના ઈન્ડસ્ટ્રીના લોકોનું નામ લઈ રહી છે, આ રીતે તે માત્ર બધાંનો સમય બરબાદ કરી રહી છે.
સીબીઆઈ તપાસ પર બોલ્યો આદિત્ય
સીબીઆઈ તપાસને લઈને આદિત્યએ કહ્યું કે, મળી ગઈ ને સીબીઆઈ તપાસ, હું લોકોના આંદોલનને માન આપું છું. દેશ, સુશાંતના મિત્રો, પરિવાર અને ફેન્સનું આંદોલન. હવે સીબીઆઈને તેનું કામ કરવા દેવામાં આવે. જો આ વિશે વાત કરવામાં આવશે, તો લોકો સીબીઆઈને કહેશે કે તેઓએ શું કરવું જોઈએ. આ રીતે સીબીઆઈ તેમનું કામ કરી શકશે નહીં. આદિત્યએ વધુમાં કહ્યું કે, જો આ કેસમાં કંઈક થશે તો તે ચોક્કસપણે આગળ આવશે. મને ખુશી છે કે સીબીઆઈ તપાસથી બધાને શાંતિ મળશે.