બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રિત સિંહના લગ્નની સેરેમનીનો વીડિયો સામે આવ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તે ખરેખર લગ્ન કરી રહી છે. તો બીજી તરફ આદિત્ય નારાયણને આ બંનેના લગ્ન પર શક થઇ રહ્યો છે.
નેહા કક્કરના લગ્ન વિશે આદિત્યનું નિવેદન
રોહનપ્રિત સાથે સાચે કરી રહી છે નેહા લગ્ન
આદિત્ય નારાયણે કહી નેહાને લઇને વાત
નેહા કક્ડડ અને રોહન પ્રિતના લગ્ન 24 ઓક્ટોબરે થવાના છે આ ખબરો વચ્ચે આદિત્યનું કહેવું છે કે તેમના લગ્નનુ સત્ય શું છે તે નથી ખબર.
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે આદિત્યને નેહા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે જવાબ આપ્યો કે, નેહા કોઇ નાની બાળકી નથી કે થોડા દિવસ પહેલા મળેલા વ્યક્તિ સાથે વીડિયો શૂટ કરે અને તેને પ્રેમ થઇ જાય.
તમને જણાવી દઇએ કે, નેહાએ પોતે જ રોહનપ્રિત સાથેની એક વિધીનો વીડિયો શેર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેહા અને રોહનપ્રિતના લગ્ન 24 ઓક્ટોબરે દિલ્હીમાં થશે. અનંત કારજની રસમ પહેલા 22 તારીખે કપલ રજીસ્ટર મેરેજ પણ કરશે.