હાલમાં જ ઈન્ડિયન આઈડલની જજ અને બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતે પોતાના સંબંધો કન્ફર્મ કર્યા હતા. જે બાદ હવે ઈન્ડિયન આઈડલનો હોસ્ટ આદિત્ય નારાયણ પોતાના લગ્નની ઘોષણા કરી ચર્ચામાં આવી ગયો છે. આદિત્યએ ઓફિશિયલી તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. આદિત્ય મુજબ, તે આ વર્ષના અંતમાં શ્વેતા સાથે લગ્ન બંધનમાં બંધાઈ જશે. આદિત્ય 2010માં ફિલ્મ શાપિત દરમિયાન શ્વેતાથી મળ્યો હતો અને ત્યારથી બંને એકબીજાની સાથે છે.
નેહા કક્કડ બાદ હવે આદિત્ય નારાયણે લગ્નની ઘોષણા કરી
શ્વેતા અગ્રવાલ સાથે કરશે લગ્ન
શ્વેતા અને આદિત્ય છેલ્લા 10 વર્ષથી રિલેશનમાં છે
હકીકતમાં પોતાના દસ વર્ષના સંબંધ વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા આદિત્યએ જણાવ્યું કે, મૈં મારા સંબંધને ક્યારેય સીક્રેટ રાખ્યો નથી, પરંતુ એક સમયે આ વિશે બહુ ચર્ચાઓ થવા લાગી હતી અને ઘણું બધું લખવામાં આવી રહ્યું હતું. જેથી મૈં ચુપ રહેવાનો નિર્ણય લીધો અને લોકોએ મને એકલો છોડી દીધો.
તેણે કહ્યું-હું શ્વેતાથી શાપિતના સેટ પર મળ્યો હતો અને પહેલી મુલાકાત બાદથી અમારી બહુ સારી બોન્ડિંગ થઈ ગઈ હતી. પછી મને એહસાસ થયો કે હું તેના ગળાડૂબ પ્રેમમમાં છું. પરંતુ તે મારી મિત્ર બનીને જ રહેવા માંગતી હત, કારણ કે એ દરમિયાન અમે ઘણાં યંગ હતા અને અમે બંને અમારા કરિયર પર ફોકસ કરવા માંગતા હતા. દરેકના સંબંધનની જેમ અમારા સંબંધમાં પણ ઘણાં અપ્સ એન્ડ ડાઉન આવ્યા, પરંતુ અમે હાર ન માની.
જોકે, હવે લગ્ન અમારી વચ્ચે એક ઔપચારિકતા છે, જે આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં થઈ જશે. મારા માતા-પિતા શ્વેતાને ઓળખે છે અને બહુ પસંદ કરે છે. જ્યારે નહા કક્કડના લગ્ન અંગે વાત કરતા તેણે કહ્યું કે, એ તેના લગ્ન અટેન્ડ નહીં કરી શકે કારણ કે તેના શોલ્ડરમાં ઈજા થઈ ગઈ છે.