AMC અને હોસ્પિટલની પારદર્શિતાના અભાવે અમદાવાદના કોરોનાના દર્દી પરેશાન થઈ રહ્યા છે. AMC હોસ્પિટલના MoU મુજબ બિલ ન બનાવતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે તેમ છતા તંત્ર ટસનું મસ થતું નથી. અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં આવેલી આદિત્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પીટલની ગંભીર બેદરકારીએ એક પરિવારને ઉજાળી નાંખ્યો છે.
AMC અને હોસ્પિટલની પારદર્શિતાના અભાવે કોરોનાના દર્દી પરેશાન
AMC હોસ્પિટલના MoU મુજબ બિલ ન બનાવતા હોવાની ફરિયાદ
દિલીપભાઇ દત્તાના પરિવારજનોએ VTV સમક્ષ વ્યક્ત કરી વ્યથા
હાલ દેશમા અનેક રાજ્યમાં કોરોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કોવિડ લઈને નાગરિકો અનેક મુશ્કેલી સામનો કરી રહ્યા છે. ત્યારે દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના સતાધાર વિસ્તારમાં વસતા દિલીપભાઈ દત્તાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમણે AMCના સોલા હોસ્પિટલમાં રેપીડ ટેસ્ટ કરાવતા નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તમને શ્વાસ લેવામાં મુંઝવણ હતી જેથી તેમણે સોલાના સતાધાર વિસ્તારમાં આવેલી આદિત્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમા નામની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થતા હોસ્પિટલે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં તેમનો ફરી કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
તેમ છતાં દિલીપભાઈને શ્વાસ લેવાની સમસ્યા યથાવત રહેતા આદિત્ય હોસ્પિટલમાં ICU સારવાર મેળવાની શરૂ થઈ છતાં દિલીપભાઈને વેન્ટીલેટર જરૂર પડતા હોસ્પિટલમાં સગવડ ન હોવાને કારણે આદિત્ય હોસ્પિટલ દ્વારા દર્દીને અન્ય હોસ્પિટલમાં રીફર કરવાની ભલામણ કરી હતી. પરંતુ જ્યારે આદિત્ય હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ કરતા દર્દીને કોરોના કારણે ડિસ્ચાર્જ કરવાનું મેન્સન કર્યુ હતું. તેમ છતાં કોવિડ સારવારના માટે હોસ્પિટલે એક લાખ રૂપિયા એડવાન્સ વસુલ્યા અને દવાના બિલ ન આપ્યા હોવાની બાબતો સામે આવી છે. આમ દર્દીના આરોગ્ય સાથે છેતરપિંડી કરી આજે શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા દર્દીએ જીવ ગુમવાની નોબત આવી છે. આ સ્થતિ અંગે પરિવારજનોએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ કરી છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિલીપભાઇને શ્વાસ લેવાની તકલીફ હતી. RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. શ્વાસ લેવાની તકલીફ હોવાથી આદિત્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વેન્ટિલેટરની સગવડ ન હોવાથી આદિત્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. કોવિડ સારવારના નામે આદિત્ય હોસ્પિટલે દર્દી પાસેથી 1 લાખ રૂપિયા વસૂલ્યા હતા. 1 લાખ રૂપિયા એડવાન્સ લઇને દવાના બિલ પણ ન આપ્યા. સારવારના અભાવે દિલીપભાઇનું નિધન થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
દિલીપભાઇના પરિવારે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિમાં ફરિયાદ નોંધાવી છે. કોવિડ-19ને લઇને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિને અત્યાર સુધી અનેક ફરિયાદનો મળી છે. કોવિડ-19માં બિલિંગમાં બેદરકારી, વીમા કંપની, ડોક્ટર અને પ્રશાસનની બેદરકારીની ફરિયાદો નોંધાઇ છે.
મહામારીમાં પણ હોસ્પિટલો કેમ લૂંટી રહી છે દર્દીઓને?
ત્યારે સવાલ થાય છે કે કોરોનાની મહામારીમાં પણ ડૉક્ટરો કેમ દાખવી રહ્યા છે બેદરકારી? મહામારીમાં પણ હોસ્પિટલો કેમ લૂંટી રહી છે દર્દીઓને? હોસ્પિટલ ક્યારે કોરોનાના દર્દીઓની સાચી સેવા કરશે તે સવાલ? દર્દીઓ આવ્યાને તરત 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા કેમ ભરાવે છે? સરકારે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવા છતાં હોસ્પિટલો કેમ બેખૌફ? AMCના હોસ્પિટલ સાથેના MOU મુજબ બિલ ન કેમ બનતા નથી? કેમ હોસ્પિટલોને મનપાના અધિકારીઓની કોઈ બીક રહી નથી? AMCની હોસ્પિટલ અંગેની પારદર્શિતાના અભાવે દર્દી પરેશાન ? આદિત્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને કેમ નથી કાયદાનો ભંગ? 1 લાખ રૂપિયા એડવાન્સ લઇને દવાના બિલ કેમ ન આપ્યા તે સવાલ?