ઓમ રાઉતના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ હાલ ઘણી ચર્ચામાં છે. યુપીના જૌનપુર જિલ્લાના એક વકીલે ફિલ્મના અભિનેતા સૈફ અલી ખાન અને ડિરેક્ટર ઓમ રાઉત સામે પ્રભારી સીએમ પંચમની કોર્ટમાં દાવો કર્યો છે. જેમાં સૈફના વિવાદિત નિવેદનને આધાર બનાવવામાં આવ્યો છે. દીવાની કોર્ટના અધિવક્તા હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલા દાવામાં ધાર્મિક ભાવનાને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગેની સુનાવણી 23 ડિસેમ્બરના રોજ થશે.
સૈફ અલી ખાન ફસાયો વિવાદમાં
આદિપુરુષ' પર રાવણ અંગેનું નિવેદન આપીને ફસાયો સૈફ અલી
સૈફ સામે નોંધાયો કેસ
હકીકતમાં દીવાની કોર્ટના એડવોકેટ હિમાંશુ શ્રીવાસ્તવે એડવોકેટ ઉપેન્દ્ર વિક્રમ સિંહ દ્વારા એક અરજી દાખલ કરી છે, જેમા કલમ 156 (3) પર કેસ નોંધાયો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 6 ડિસેમ્બરના રોજ સૈફ અલી ખાને એક ઈન્ટવ્યૂમાં સીતાહરણને એવું કહીને યોગ્ય ઠેરાવ્યું હતું કે લક્ષ્મણે શૂર્પખાની નાક કાપી હતી, જેના કારણે રાવણે સીતાનું હરણ કર્યું હતું. જેથી હવે સૈફની આ વાત પર વિવાદ સર્જાયો છે.
તેમણે કહ્યું કે, સૈફ અલીનો આ ઈન્ટરવ્યૂ સનાતન ધર્મની આસ્થાને દુભાવે છે. સનાતન ધર્મ અંગે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેનાથી તેમની ધાર્મિક ભાવના દુભાય છે. જેથી તેમણે આરોપીઓ સામે કેસ નોંધવાની માંગ કરી છે.