જૂનાગઢ હિટ એન્ડ રન મામલે આદિલખાન નામના યુવકે પોતાના આડા સંબંધો જગજાહેર ન થાય તે માટે પૂર્વઆયોજિત કાવત્રુ રચી અકસ્માતમાં ખપાવી દેવા કારસો રચ્યો હોવાનું ખૂલ્યું છે.
જૂનાગઢમાં સુખનાથ ચોકમાં હીટ એન્ડ રનમાં થયો ખુલાસો
આડા સંબંધમાં ઈરાદા પૂર્વક કરવામાં આવી હતી હત્યા
ચાર દિવસ પહેલા કારની અડફેટે હસીનાબેનનું થયુ હતું મોત
જૂનાગઢમાં સુખનાથ ચોકમાં ચાર દિવસ અગાઉ હીટ એન્ડ રનની ઘટના પ્રકાસમાં આવી હતી. આ ઘટનામાં હસીનાબેન નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના કારણ પરથી પરદો ઊંચક્યો છે. આદિલખાન નામના યુવકે ઈરાદા પૂર્વક કાર અડફેટે લઇ મહિલાની હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે.
એ ડિવિઝન પોલીસે આરોપીને ઉનાથી ઝડપી લીધો
જૂનાગઢના સુખનાથ ચોક પાસે ચાર દિવસ પૂર્વે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. સુખનાથ ચોકમાં હસીનાબેન નામની મહિલાનું ઇકો કારની ઠોકરે મોત થયાની ઘટના સામે આવી હતી. આ ઘટના મૃતક મહિલાના ભાઈ રફીક અલ્લારખા ચૌહાણની ફરીયાદ પરથી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતની નહિ પણ સુઆયોજિત કાવતરું હોવાની શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમ્યાન ઇકો કારની વિગત મળતા પોલીસે શંકાના આધારે આદિલખાનની શોધખોળ શરૂ કરી હતી અને તપાસના ધમધમાટને અંતે આરોપી ઉનાથી પોલીસ ઝડપે ચડયો હતો.
પૂછપરછમાં આરોપીએ આપી હત્યાની કબૂલાત
આરોપી આદિલખાન હનિફખાન લોદીની પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત આપતા જણાવ્યું કે, મૃતક મહિલા આરોપીના સંબંધમાં આડખીલી રુપ બનતી હોવાથી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ સુખનાથ ચોક પાસેથી મહિલા પસાર થઇ રહી હતી. આ વેળાએ આરોપી આદિલખાને બેફામ સ્પીડે કાર ચલાવી પાછળથી મહિલાને અડફેટે લઇ કાર લઇને નાશી ગયો હતો.