લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસી સાંસદ અધીર રંજન ચોધરીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ એક ટ્વિટ કરીને વિવાદ ઊભો કર્યો છે.
રાજીવ ગાંધીની પુણ્યતિથિએ અધીર રંજન ચોધરીએ મોટો વિવાદ પેદા કર્યો
વિવાદિત ટ્વિટ કરીને લખ્યું, મોટું ઝાડ પડે છે ત્યારે ધરતી હલે છે
ભારે હોબાળો મચતા આખરે ટ્વિટ કરવું પડ્યું ડિલિટ
રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી એક ટ્વિટ કરીને મોટો વિવાદ પેદા કર્યો હતો જોકે વિવાદ વધતા તેમણે ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. અધીર રંજન ચોધરીએ લખ્યું કે રાજીવ ગાંધીએ એક ગ્રાફિક્સ શેર કરતા લખ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી ધ્રુજે છે.
So, I am vociferously refuting the content of the text quoted against my name. Today itself I am going to legal action against those offenders, if not digital criminals: Congress leader Adhir Ranjan Chowdhury pic.twitter.com/pae3nwQRmp
ઈન્દીરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ શીખ તોફાનને લઈને કરી હતી ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીએ પોતાની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આ નિવેદન આપ્યું હોવાના અહેવાલ છે. રાજીવે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભારતના લોકો એટલા ગુસ્સે થયા, એટલા ગુસ્સામાં આવી ગયા અને થોડા દિવસો સુધી લોકોને લાગ્યું કે ભારત ધ્રુજી રહ્યું છે. જ્યારે પણ કોઈ મોટું ઝાડ પડે છે, ત્યારે પૃથ્વી ધ્રુજે છે. રાજીવના આ નિવેદનને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડવામાં આવ્યું હતું.
With all my conviction, with humilities at my command, I'm firmly stating that the tweet being quoted against my name is nothing but a malicious campaign being propagated by some unscrupulous elements, by some heinous forces who are inimical to me&my party: Adhir Ranjan Chowdhury pic.twitter.com/zQdmPR8K05
વિવાદ વધતા ટ્વિટ ડિલિટ કરીને કરી સ્પસ્ટતા
આ મામલે વિવાદ થતા ચોધરીએ આ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. વિરોધી તાકતો દ્વારા મારી સામે એક દુષ્પ્રપ્રચાર અભિયાન ચલાવાઈ રહ્યું છે.
રાહુલ-પ્રિયંકાએ આ રીતે પિતાને કર્યાં યાદ
પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યક્તિ હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિના મૂલ્ય વિશે જણાવ્યું હતું. "મને તેમની ખોટ સાલે છે, અમે સાથે વિતાવેલો સમય યાદ કરું છું. પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા વિશે રાહુલ ગાંધીના ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેમણે 1984 થી 1989 સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.
Congress leader Adhir Ranjan Chowdhury claims that his Twitter account was hacked and has filed a Police complaint with South Avenue Police Station, New Delhi. pic.twitter.com/E07dZL0Dyq