વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ઘુસણખોર' બતાવવા પર અધીર રંજન ચૌધરીના નિવેદન પર હંગામો હજુ થમ્યો નથી કે ત્યારે તેઓએ વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ ઘટાડા પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને 'નિર્બલા' સીતારમણ બતાવ્યા.
અધીર રંજને કહ્યું, તમારુ સન્માન કરીએ છીએ, પરંતુ ક્યારેક 'નિર્બલા' સીતારમણ કહેવાનું મન કરે છે
અધીર રંજને NRCનો વિરોધ કરતા PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને 'ઘુસણખોર' બતાવ્યા હતા
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો વિરોધ કરતા તેના દ્વારા થતા નુકશાન ગણાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું કે, 'અમે તમારુ સન્માન કરીએ છીએ. પરંતુ ક્યારેક મને આપને નિર્મલા સીતારમણની જગ્યાએ 'નિર્બલા' સીતારમણ કહેવાનું મન કરે છે. કેમકે આપ મંત્રી પદ પર તો છો, પરંતુ જે આપના મનમાં છે તે ક્યારે કહી પણ શકતા નથી.
એક દિવસ પહેલા જ આપ્યું હતું વિવાદીત નિવેદન
એક દિવસ પહેલા જ અધીર રંજન ચૌધરીએ NRCનો વિરોધ કરતા પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ઘુસણખોર' બતાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ ગુજરાતથી આવીને દિલ્હીમાં વસ્યા છે. ત્યારે આજે સંસદમાં અધીર રંજન ચૌધરીના નિવેદન પર હંગામો થયો હતો.
નિર્મલાએ જણાવ્યું કે, કેમ ઘટાડ્યો કોર્પોરેટ ટેક્સ
આ પહેલા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા વિશે બતાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોરને ધ્યાને રાખતા, એ સંકેત જોતા કે ઘણી કોર્પોરેટ અને મલ્ટિનેશનલ કંપનીઓ ચીનથી બહાર નીકળશે, અમે જલ્દી જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો.'