પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ વિપક્ષી પાર્ટી પર સસ્પેન્સમાં છે. કોંગ્રેસને પણ સમજણ નથી પડી રહી કે મોદીએ આવું કેમ કર્યું. આ વચ્ચે અધીર રંજન ચૌધરી (લોકસભામાં કોંગ્રેસના નેતા) એ મોદીને કહ્યું કે તેમને દિલ્હી હિંસાનું દુઃખ છે તો સોશિયલ મીડિયા નહીં પ્રધાનમંત્રી પદ છોડી દેવું જોઇએ.
કોંગ્રેસ નેતા અધીર રંજને એમ પણ કહ્યું કે એવું પણ બની શકે છે કે પીએમ મોદી હાલની પરિસ્થિતિ પરથી નજર હટાવવા માટે આમ કરી રહ્યાં હોય. કોંગ્રેસ નેતાએ એમ પણ પૂછી લીધું કે શું હવે મોદી સાધુ-સંત બની જશે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે દેશમાં એવા ઘણા ઉદાહરણ છે જ્યારે નૈતિકતાના આધાર પર પદ છોડવામાં આવ્યું. અધીર રંજને લાલ બહાદૂર શાસ્ત્રીનું ઉદાહરણ આપતાં કહ્યું કે રેલવે દૂર્ઘટના બાદ તેમણે રેલવે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ડિજિટલ પુજારી સોશિયલ મીડિયા છોડશે તો ક્યાં જશે
અધીર રંજને આગળ કહ્યું કે પીએમ મોદી દરેક સમયે ડિજિટલની વાતો કરતાં હોય છે. તેમના જેવા ડિજિટલ પુજારી જો સોશિયલ મીડિયા છોશે તો ક્યાં જશે. શું મોદી સાધુ-સં બનશે. શું પીએમ મોદી માનસરોવર જતા રહેશે.
લોકોને છેતરે નહીં પીએમ મોદી
કોંગ્રેસ નેતા અધીર રંજને એમ પણ કહ્યું કે આવુ અડધુ એલાન કરવું એક પ્રકારે લોકોને છેતરવા જેવું છે. પીએમએ જનતાને બતાવી જોઇએ પુરી વાત. ચોધરીએ અટકળ લગાવી કે હોય શકે છે દિલ્હી હિંસાથી મોદી દુઃખી હોય અને તેના પર કંઇક બોલે.
સોશિયલ મીડિયાના સ્ટાર છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટવિટર પર 5.3 કરોડથી વધારે ફૉલોઅર્સ છે. ફેસબુક પર પીએમ મોદીને 4.4 કરોડ લોકો ફૉલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સ્ટાર છે અને અહીં તેમને 3.5 કરોડથી વધારે લોકો ફૉલો કરે છે. યૂટયૂબ પર પીએમ મોદીના 45 લાખથી વધારે ફોલોઅર્સ છે.