પુરુષોત્તમ માસનો મહિમા આપણે સૌ જાણીએ છીએ, અધિકમાસ કે પુરુષોત્તમ નામે ઓળખાતો આ માસ ત્રણ વર્ષે એક વાર આવે છે અને તેમાં પણ આવતી પૂનમનુ અનેરુ મહત્વ રહેલુ છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. આ મહિનામાં તમારે દાન પુણ્ય કરવા જોઇએ જેથી લાભ થાય છે.
આજે અધિકમાસની પૂર્ણિમા
આજના દિવસનુ અનેરુ મહત્વ
પૂજા અર્ચનામાં રાખો ધ્યાન
આજે અધિકમાસની પૂર્ણિમા છે, તો અમે તમને જણાવી દઇએ કે આજે શું કરવું જોઇએ અને શું ન કરવુ જોઇએ.
સૂર્ય મંત્રજાપ
આજના દિવસે સવારે સ્નાનાદિથી પરવાર્યા બાદ તાંબાના લોટાથી સૂર્યને જળ ચડાવવું જોઇએ. બાદમાં ૐ સૂર્યાય નમઃ નો જાપ કરવો જોઇએ. હિન્દુ માન્યતા અનુસાર 108 વાર જાપ કરવો આવશ્યક છે.