અધિક માસનો પવિત્ર મહિનો 18 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. આ મહિનામાં પૂજા પાઠનું ફળ દસ ગણું વધારે મળે છે. અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને મળમાસ કે પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ સમયે કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરી લેવામાં આવે તો પ્રભુ નારાજ થાય છે. તો અધિક માસમાં ધ્યાન રાખી લો આ 10 વાતો અને તેમાં ક્યારેય ભૂલ ન કરો.
અધિક માસમાં ધ્યાન રાખો 10 વાતો
આ 10 વાતોનું ઉલ્લંઘન કરવાથી થાય છે પ્રભુ નારાજ
આ પવિત્ર મહિનામાં આ કામ ગણાય છે વર્જિત
આ મહિનામાં વિવાહ કરવાનું અશુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સૂતા હોવાના કારણે આ મહિને માંગલિક કાર્યો વર્જિત છે.
અધિક માસમાં માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે સ્વાદ માટે કોઈ પણ જીવની હત્યા કરવાથી વ્યક્તિને નરકમાં જવું પડે છે.
એક મહિનાનો સમયમાં કોઈ પણ નવો કારોબાર શરૂ કરવો નહીં. માનવામાં આવે છે કે આ સમયે નવું કામ શરૂ કરવાથી સફળતા મળતી નથી. માટે આવી ભૂલ ન કરશો.
અધિક માસમાં ભૂલથી પણ પોતાના ગુરુ, ગુરુ સમાન વ્યક્તિ, પિતૃદેવ, ઈષ્ટદેવ, સ્વામી દેવ અને સંતોનું અપમાન ન કરવું. આમ કરવાથી દેવતા ક્રોધિત થાય છે અને તમારું પતન શરૂ થાય છે.
મોટા ભાગે બાળકો આ સમયે બાળકોનું મુંડન કરાવે છે. અધિક માસમાં મુંડન ન કરવાનું કહેવાયું છે. આ માસ કોઈ પણ શુભ કાર્યો માટે નથી.
આ મહિનો ખાસ કરીને પૂજા પાઠ માટે છે. એક દિવસ પણ આરાધના વિના ન વીતાવો. આ માસમાં પુણ્ય કર્મો અને પૂજા પાઠનું વિશેષ ફળ મળે છે. માટે નિયમથી પૂજા કરો,
મહિલાઓએ આ મહિને વાળ ન કપાવવા. વાળ ગંદગીનું પ્રતીક છે. પવિત્ર મહિનામાં વાળ કપાવવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે.
આ સમયે ખોટું બોલવું, હિંસા, અત્યાચાર, ચોરી જેવા પાપ ન કરવા. આ કર્મો માટે શાસ્ત્રોમાં કાયમ મનાઈ છે. ખાસ કરીને આ મહિને તો આવા કામથી દૂર રહો તેમાં તમારી ભલાઈ છે.
આ મહિને કોઈ પણ તીર્થ સ્થળ, દેવી,દેવતા કે નદી માટે અપશબ્દોનો પ્રયોગ કરવો નહીં. આમ કરવાથી અનેક ગણું પાપ લાગે છે અને તેના નિવારણનો પણ કોઈ ઉપાય નથી.
આ મહિને તુલસીના છોડનો અનાદર ન કરો. તુલસીને તમારા ઘરની બહાર ન કાઢો. ભગવાન વિષ્ણુને સમર્પિત સમય છે અને ભગવાન વિષ્ણુ દેવી તુલસીના રૂપમાં તેમની સાથે રહે છે.