ભગવાન વિષ્ણુ અધિક માસના સ્વામી માનવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. એટલે જ અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. માન્યતા છે કે આ માસમાં ભગવાન વિષ્ણુની પૂજાથી પણ દરેક મનોકામના પૂરી થાય છે. પરંતુ પૂજામાં આ ચીજોનો ઉપયોગ ન કરાય તે યોગ્ય રહેશે.
અધિક માસમાં થાય છે મનોકામનાઓ પૂરી
ભગવાન વિષ્ણુની પૂજાથી મળે છે વિશેષ ફળ
ભગવાન વિષ્ણુની પૂજામાં ન કરો આ ચીજોનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. તેને મળમાસ અને પુરુષોત્તમ માસના નામે પણ ઓળખવામાં આવે છે. અધિકમાસ 18 સપ્ટેમ્બર 2020થી શરૂ થયો છે જે 16 ઓક્ટોબર 2020 સુધી ચાલુ રહેશે. ભગવાન વિષ્ણુની પૂજાનું આ સમયે ખાસ મહત્વ હોય છે. તેમની વિધિવિધાનથી પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. તો જાણો તેમની પૂજામાં શું સામેલ કરવું અને શું નહીં તે વિશે.
ભગવાન વિષ્ણુની પૂજામાં ન કરો આ ચીજોનો પ્રયોગ
અગસ્ત્યના ફૂલ, માધવી અને લોધીના ફૂલ
અન્ય પાસે માંગેલા કે ચોરી કરેલા કે જમીન પર પડેલા ફૂલ
અશુદ્ધ, વાસી અને કીડાવાળા પાન, ફૂલ
ક્યારેય ચોખાનો ઉપયોગ ન કરો.